December 2nd 2021

પ્રભુનુ આગમન

 દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો
.           .પ્રભુનુ આગમન

તાઃ૨/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ આપવા,પ્રભુનુ આગમન થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
જીવને જન્મ મળે ગતજન્મના થયેલકર્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જીવનમાં સમયનીસાથેજવાય
સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિન્દુમુસ્લીમના દેહથી દુર રહેવાય 
શ્રધ્ધાસબુરીથી આંગળીચીંધી દેહને,ના મનુષ્યથી અલગરહીને જીવાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
પ્રભુની પવિત્રકૃપાએ નિખાલસ ભાવનાથી,શેરડીમાં આવી પ્રેરી જાય
નિરાધાર જીવન જીવતા સાંઈબાબાને,ડ્વારકામાઈનો સાથ મળી જાય
માનવદેહને શ્રધ્ધા અને સબુરીની પ્રેરણાકરી,જે દેહને સુખઆપી જાય
જીવનમાં નામોહમાયાનો સ્પર્શઅડે,જ્યાં સાંઈબાબાની પવિત્રકૃપા થાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
##############################################################