April 23rd 2022

પ્રેરણા કર્મની

 સિદસર: મા ઉમિયા માતા રજત જ્યંતી મહોત્સવનું શાનદાર ઉદ્દધાટન કરતા મુખ્યમંત્રીશ્રી
.           .પ્રેરણા કર્મની

તાઃ૨૩/૪/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપા મળે સરસ્વતી માતાની દેહને,જે કલમની પવિત્રકેડીએ મેળવાય
જગતમાં પરમકૃપા માતાની હિંદુધર્મમાં,એકૃપાએ અનેક રચનાઓ થઈ જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
અદભુતકૃપાળુ પવિત્રમાતા જગતમાં,એ શ્રધ્ધારાખીને કલમપકડતા મળીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપામળે,જે પાવનરાહે જીવનજીવાડી જાય
જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એજ દેહને પાવનરાહે લઈ જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
પરમકૃપા માતા સરસ્વતી છે જીવનમાં,જે કલમ સંગે કલાની કેડી આપીજાય
કલાની પવિત્રકેડી પકડી ચાલતા,એ કલાકાર કહેવાય જે દર્શન આપી જાય
માનવદેહપર કલમની પ્રેરણા માતાની થતા,સમયે કલમથી રચનાકરાઇ જાય
માતાનીકૃપાએ થયેલ રચનાના પ્રેમીઓ મળે,જે અનેકને પેરણા આપી જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment