June 28th 2022

ગૌરીનંદનજી


.            ગૌરીનંદનજી 

તાઃ૨૮/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,ભારતદેશથી દુનીયામાં એપ્રસરી જાય
શંકરભગવાનની પવિત્રકૃપાથી,માતા પાર્વતીના સંતાન ગૌરીનંદન કહેવાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
માતા પાર્વતીની પવિત્રકૃપાએ એ સંતાન થયા,એજ ગણપતિજી કહેવાય
ભોલેનાથ મહાદેવની શિવલીંગપર,ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરાય
શ્રીગણેશ હિંદુધર્મમાં વિઘ્નહર્તા પણ કહેવાય,જેમની ઘરમાંય પુંજા કરાય
શંકર ભગવાન પવિત્ર ગંગાનદીને,કૃપાએ જટાથી ભારતમાં વહાવી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
અજબકૃપાળુ પ્રભુનો દેહ કહેવાય,જેમની કોઇપણ પવિત્રકામમાં પુંજાથાય
પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમની રિધ્ધી અને સિધ્ધી એ પત્નિકહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,એ શુભ અને લાભથી સંતાનથઈજાય
મળેલદેહની જગતમા પુંજાકરાય,જે માનવદેહના જીવનમાં સુખઆપી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
###############################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment