October 6th 2008

આપણા માબાપ

                             આપણા માબાપ

તાઃ૩૦/૯/૨૦૦૮ ………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં અનંત આનંદ થાય,
……………………..  ને હૈયું પણ આનંદે ઉભરાય
પ્રેમની પાવકતા જ્યાં મળ્યા કરે
                        ને જીવન પ્રેમે ઉજ્વળ દેખાય
લાગણી શોધવી જગમાં ના પડે
                       ને વર્ષા પ્રેમની કાયમ પડ્યાકરે
હૈયુ જ્યાં ભટકાય જીવનમાં
                         ત્યાં સાચી પ્રેમની જ્યોત મળે
લીધા જ્યાં અંતરથી આશીર્વાદ
                         ને કરુણા પ્રેમની સદાવહ્યા કરે
માની લાગણી ને પ્રેમ પિતાનો
                         જ્યોત જીવનમાં સદા જલાવે
ના વ્યાધી કે આવે ઉપાધીક્યારે
                        કૃપા કરુણાની મનથી જ્યાં મળે
લાગણી પ્રેમ મોહ માબાપના
                    લાવે જીવનમાં આનંદ જે સદા વહે.

——————————————————

October 6th 2008

શીતળતાનો સંબંધ

………………………  શીતળતાનો સંબંધ

તાઃ૯/૯/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

#  જનજીવનમાં જ્યારે મન મળે ત્યારથી જીવનમાં શીતળતાનો
  સહવાસ થાય છે.
# મનુષ્યના જીવનમાં જ્યારે સાચો પ્રેમ મળે ત્યારે તે જીવનમાં
  શીતળતાનો અનુભવ કરે છે.
#  પ્રેમનો સહવાસ શીતળતા રેલાવે છે.
# સંતાન અને માબાપનો પ્રેમ શીતળતા આપે છે.
# ચાંદાની ચાંદની પૃથ્વીના જીવોને શીતળતા આપે છે.
# સાચો પ્રેમ પતિપત્નીના જીવનને શીતળ બનાવે છે.
# જ્યાં પ્રેમનો સહવાસ હોય ત્યાં શીતળતા શોધવી ના પડે કારણ
  સાચા પ્રેમની નિશાની જ શીતળતા છે.
# ભાઇ બહેનનો સાચો પ્રેમ પણ શીતળતા રેલાવે છે.
# શીતળતા એટલે શાંન્તિ અને નિશ્વાર્થ ભાવના.
# સહાધ્યાયીનો પ્રેમ પણ શીતળતાનો સ્પર્શ કરાવે છે કારણ તેમાં
     એક બીજાને મદદ કરવાની ભાવના સમાયેલ છે.
# સમયસર થયેલ કોઇપણ કામ જીવનમાં શીતળતા લાવે છે.
# સાચા સંતની સેવા ભક્તિજીવનમાં શીતળતાનો સંગાથ આપે છે.

 શીતળતા એટલે મનુષ્ય જીવનમાં મનની શાંન્તિ અને જીવને આનંદ.
====================================================

October 6th 2008

जीवन शाला

……………………    जीवन शाला

ताः२१-९-१९७५ …………प्रदीप ब्रह्मभट्ट

बचपन खेला अपनोंके बीच
…                          ये है अपने जीवनकी रीत
क्या कुछ कर पायेगे हम,
..  ……………….     जबतक हमको ग्यान नहीं
छोड के हम बेगानापन,
…..                       सोचे हम जीवनका कल्याण
तब पढनेकी हुइ तमन्ना मनमें
……………… …     खेलेंगे हम जीवनका संग्राम
आये है हम अपनी खातीर,
                       विध्यालयमें विद्वानोकी चलके
अमर भावना पुरी करेंगे
……………..      हम अपने गुरुजनोकी वानीको
कैसे भुलेगे हम उनको,
……………….    जीनसे दीखाइ जीनेकीराह हमे
‘परदीप’ बनके हम जीवनमें
……………….    करके जीवनशाला का सन्मान.

===========================================

October 6th 2008

જય શ્રી હનુમાન

                          જય શ્રી હનુમાન

તાઃ૪/૧૦/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીધો અવની પર અવતાર,કરવા ભક્તિનો સત્કાર
લીધીગદા પ્રભુએ હાથ,કરવા જગે અસુરોનો સંહાર 
….બોલો જય જય હનુમાન,બોલો જય શ્રી હનુમાન.

રામની લીધી છાયા, જ્યાં છોડી જગતની માયા
મનથી કીધી માળા, ને દુર કરી પાપની છાયા
પવનદેવનાપુત્ર ને મા અંજલીના વ્હાલાસંતાન
કીધા સેવાના કામ ને બન્યાછે ભક્તોના આધાર
…..એવા પવનપુત્ર હનુમાન બોલો જયશ્રી હનુમાન.

પાપનો પોકાર થયો, ત્યાં  રાવણ ને કર્યા મહાત
સીતાજીના સૌભાગ્યનો જગતમાં કર્યો જયજયકાર
પરઉપકારી બનીરહીને કરી સાચા ભક્તોની સેવા
શ્રધ્ધા વિશ્રાસને રાખી સાથે, દીધી પ્રેમની જ્વાળા
….એવાહનુમાનદાદાપુજાય ને બોલાય જયશ્રીહનુમાન

કરતાંજગમાં કામજ એક,મળે શ્રધ્ધાનીમહેંક અનેક
આવી આંગણે પાવન કરતાં ન પ્રેમથી દેતા સ્નેહ
લાગણી હૈયે સદા રાખી ને જપતા શ્રીરામનીમાળા
સદા સ્નેહ ને ઉભરે પ્રેમ, જ્યાં સાચી ભક્તિ છે નેક
….એવા હનુમાનજી પુજાય ને બોલાય જયશ્રી હનુમાન

############################################