સંસ્કારનો પ્રેમ
સંસ્કારનો પ્રેમ
તાઃ૨૬/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતામાં ના માગણી, કે પ્રેમ ભરી દઇ જાય
સંસ્કાર સિંચન જે મળેલ છે,તે વર્તનમાં દેખાય
……….માનવતામાં ના માગણી.
મોહમાયાને અળગી રાખી,મનમાં ના કોઇ લોભ
દીલથી દેતાં હેત જગે,ઉજ્વળતાદે નામાયામોહ
સ્નેહની સાંકળ પકડતાં,હર પળે પ્રેમ વર્ષા થાય
લાખ ખર્ચતા ના મળે,તે નિર્મળતાએ મળી જાય
…………માનવતામાં ના માગણી.
આશીશ એતો દીલનો દરીયો,મળે નશીબમાં હોય
માનવજીવનને મળે ઉજ્વળતા,નાહોય ટકોર કોઇ
સંસ્કાર મળતાં જીવનમહેંકે,ને માબાપના વહે હેત
પ્રેમ જગતમાં ઉજ્વળ દેખે,જે મળે સંસ્કારને સંગ
………..માનવતામાં ના માગણી.
=================================