ભક્તિનો ટેકો
ભક્તિનો ટેકો
તાઃ૧૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બડાસ મારે બારણે આવી,ક્યારનીય ખખડાવે
જલાસાંઇની ભક્તિ સાચી,ના અંદર આવવાદે
………..બડાસ મારે બારણે આવી.
કિર્તન સાંભળુ સવારમાં,ને મનથી સ્મરણ કરું
નાહી ધોઇને પવિત્રદેહે,સંતોને વંદન કરી લઉ
સુર્યોદયના પવિત્ર કિરણોને,અર્ચન કરવા જઉ
માળા કે ના મણકાની ચિંતા,મનથીહું ભજનકરું
મનને શાંન્તિ મળીજાય,જ્યાં આરતી કરી લઉ
……….બડાસ મારે બારણે આવી.
કળીયુગમાં કદર થાય,જ્યાં દેખાવને પકડી લઉ
આવે દોડી મોહ આંગણે,ત્યાં મનથી હું ડરી જઉ
બડાસની ના જરૂર દેહે,તેને હું બીજે મોકલી દઉ
નાજરૂર મારે મોહમાયાની,જે જીવને જકડે અહીં
આવે આંગણે શાંન્તિદોડી,જીવનેમુક્તિ દેવા ભઇ
……….બડાસ મારે બારણે આવી.
મોહ તોછે દેહના બંધન,ને ભક્તિનો સંગ જીવથી
સાચી છે સંસારી ભક્તિ,દઇદે કર્મબંધનથી મુક્તિ
જીવને છે કર્મનાસંબંધ,નાકોઇ જીવથી એ છોડાય
નાણાં કે ના માયા પ્રભુને,એતો ભક્તિથીમેળવાય
જલાસાંઇનુ શરણુ લેતાં,જીવને મુક્તિ એજ દોરાય
……….બડાસ મારે બારણે આવી.
============================