મિલનની મધુરતા
મિલનની મધુરતા
તાઃ૨૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પળપળ પારખી જીવતાં,જગમાં નિર્મળ જીવન થાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં તો,મધુર મિલન મેળવાય
……… પળપળ પારખી જીવતાં.
જન્મનું બંધન જીવને જડે,જ્યાં લગી કર્મને સહેવાય
અજર અમર આ જીવને,દેહ મળતાં મૃત્યુ મળી જાય
નાશંકા ના કોઇ વિચાર,એતો જન્મ મળતાં સમજાય
કૃપાનેપાત્ર થતાં જગમાં,મળે જીવને મૃત્યુનાસોપાન
………પળપળ પારખી જીવતાં.
આંગણુ એતો અણસાર છે,જ્યાં આગમન સૌના થાય
વાણી વર્તન ને વહેવારમળતાં,સમયેજ એ સમજાય
સાચોપ્રેમ પરમાત્માનો,જે સંત જલાસાંઇથી મેળવાય
મધુર મિલનના સહવાસમાં,તો ભક્તિસાચી મળીજાય
………..પળપળ પારખી જીવતાં.
+++++++++++++++++++++++++++++