કુળની કૃપા
કુળની કૃપા
તાઃ૧૬/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કાર જેનુ સિંચન છે,ને માબાપ એનો અરીસો
બ્રહ્મભટ્ટ એવુ કુળ જગતમાં,મેળવે એપ્રેમ અનેરો
……….સંસ્કાર જેનુ સિંચન છે.
દેહ મળતા જીવને સંસારે,માગાયત્રીનુ જ્ઞાન મળે
જનોઇનો સહવાસ મળતાં,પવિત્રતા એદેહને મળે
પુંજનઅર્ચનના સંસ્કારથી,મોહમાયાના બંધન તુટે
મા સરસ્વતીની પુંજાથી જ,જ્ઞાનની ગંગા જીભેવહે
……….સંસ્કાર જેનુ સિંચન છે.
પ્રભાત પહોરે પુંજાકરતાં,સુર્યનારાયણની કૃપા મળે
અર્ચનાએ પુષ્પ અર્પણ કરતાં,કુદરત પ્રેમ મળી રહે
વંદન મા સરસ્વતીને કરતાં,જીભે માનો વાસ મળે
સહયાત્રીના સહવાસે જીવનમાં,જગે વાહ વાહ મળે
………..સંસ્કાર જેનુ સિંચન છે.
અભિમાન ને ઓવારે મુકતાં,માયા સૌની મળી રહે
અહંકારને અર્પણ કરતાં,મોહ જીવના જગે ઘણા છુટે
મારું તારું દુર ભાગતા,આંગણે પ્રેમ આવી ઉભો રહે
જન્મ સફળ થઇ જાય જીવનો,જેમાં સૌની મતી રહે
……….સંસ્કાર જેનુ સિંચન છે.
==============================