ઘંટાકર્ણ મહાવીર
ઘંટાકર્ણ મહાવીર
તાઃ૧૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલુ મહુડી એવું છે ગામ,કે જે છે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
………..વ્હાલુ મહુડી એવું છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ જ્યાં થાય
મુક્તિ જીવને મળીજાય,ને મળેલ જન્મ સફળ પણ થાય
કામધામનો નાઅણસાર,લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય,ને પળપળ પણ મહેંકી જાય
……….. વ્હાલુ મહુડી એવું છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે,ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે,ને પાવનજીવને રાહ દીસે
ભાગે ભુત અને પલીત,જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનું નામ
ઉજ્વળજીવન બને દેહનું,ના રહે કોઇ બંધન આ અવનીનું
………..વ્હાલુ મહુડી એવું છે ગામ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦