July 20th 2010

જીવના બંધન

                      જીવના બંધન

તાઃ૨૦/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની એકેય લકીર,ના કોઇથી ય જોવાય
કળીયુગી કરુણામાં જીવે તોય,ના તેમાંથી ફંટાય
                      ………પરમાત્માની એકેય લકીર.
મળેલ જીવના સંબંધને,ના દેહે કોઇથીય પરખાય
રાજા,રંક,ફકીર કે તવંગર,માનવદેહે ના સમજાય
મૃત્યુ ને મુક્તિના બંધન,જીવને દેહે જ મળી જાય
આ પરમાત્માની અકળલીલા,ના મંદીરે મેળવાય
                      ………પરમાત્માની એકેય લકીર.
જન્મ મળ્યો જ્યાં જીવને,ના કોઇથીએ ઓળખાય
સમયનીગાડી ચાલતાં,જીવને ધીરજથી સમજાય
આગમન વિદાયની કેડી પાકી,ના કોઇથી છોડાય
મુક્તિના બારણાં ખુલતાં,જીવનાબંધન છુટી જાય
                     ……….પરમાત્માની એકેય લકીર.

===============================