December 14th 2010

જીવનદોર

                            જીવનદોર

તાઃ૧૪/૧૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેળવી લેજે ભક્તિસાચી,માબાપના આશીર્વાદથી  
કરી લેજે ઉજ્વળ કામ તનથી,મળેલા સહવાસથી
                      ………..મેળવી લેજે ભક્તિ સાચી.
જ્યોત જીવનની પ્રકટે છે જ્યારે,વર્ષે પ્રેમની વર્ષા
આદર્શ ને અવિનાશીજીવન,જે માબાપ જોવાતરસે
મળે માનસન્માન એવા,જેઆંખો ભીની કરવા લાગે
જીવને મળે દોરનિરાળો,જે દેહનેઉજ્વળ જીવનઆપે
                            ………મેળવી લેજે ભક્તિ સાચી.
માટીનીકાયા મળી માયાથી,જીવને મુક્તિ દઈ જાય
ભક્તિની શક્તિ સાચીછે,જ્યાં પ્રીત માબાપથી થાય
ના માગણી કે અપેક્ષાજીવની,ને સરળ જીવન લાગે
અંત દેહનો ઉજ્વળ થાય,ને મુક્તિ પ્રભુકૃપાએ પામે
                           ………મેળવી લેજે ભક્તિ સાચી.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment