September 18th 2013

લાગણીની કેડી

.                     . લાગણીની કેડી

તાઃ૧૮/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી,જીવનમાં સરળતા આપતી જાય
સરળ જીવનમાં નિર્મળપ્રેમે,સાચી લાગણીની કેડી મળી જાય
.                       …………………..શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
કર્મ જીવના બંધન છે જગે,અવનીપરના અવતરણ કહેવાય
મોહમાયા એ ચાદર છે કળીયુગની,જીવને એજ જકડતી જાય
માનવમન તો મર્કટ જેવું,જ્યાં ત્યાં એ લાલચે લટકાવી જાય
લાગણીની કેડી સમજીને પકડતાં,ના જીવ અહીંતહીં ભટકાય
.                     …………………… શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
અવનીપરનુ આગમન એદેહ બનેછે,જે શરીર મળતા દેખાય
કર્મનાબંધન તો અતુટ છે,એ લાગણીમોહથી જ જકડાઇ જાય
સાચીભક્તિ એ જ્યોતજીવની,જલાસાંઇની દ્રષ્ટિએજ લેવાય
મળી જાય જ્યાં કૃપા પ્રભુની,જન્મમરણના બંધન છુટી જાય
.                     …………………….શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.

=‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌===+++++++++===========++++++++=====

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment