લાગણીની કેડી
. . લાગણીની કેડી
તાઃ૧૮/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી,જીવનમાં સરળતા આપતી જાય
સરળ જીવનમાં નિર્મળપ્રેમે,સાચી લાગણીની કેડી મળી જાય
. …………………..શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
કર્મ જીવના બંધન છે જગે,અવનીપરના અવતરણ કહેવાય
મોહમાયા એ ચાદર છે કળીયુગની,જીવને એજ જકડતી જાય
માનવમન તો મર્કટ જેવું,જ્યાં ત્યાં એ લાલચે લટકાવી જાય
લાગણીની કેડી સમજીને પકડતાં,ના જીવ અહીંતહીં ભટકાય
. …………………… શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
અવનીપરનુ આગમન એદેહ બનેછે,જે શરીર મળતા દેખાય
કર્મનાબંધન તો અતુટ છે,એ લાગણીમોહથી જ જકડાઇ જાય
સાચીભક્તિ એ જ્યોતજીવની,જલાસાંઇની દ્રષ્ટિએજ લેવાય
મળી જાય જ્યાં કૃપા પ્રભુની,જન્મમરણના બંધન છુટી જાય
. …………………….શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
====+++++++++===========++++++++=====