લાગણીની પળ
. લાગણીની પળ
તાઃ૨૧/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણી મળે જો મનથી જીવને,આજીવન ઉજ્વળ થાય
પ્રેમની સાંકળ સાચી મળતા,માનવ જીવન મહેંકી જાય
. …………………લાગણી મળે જો મનથી જઈને.
સરળતાનો સહવાસ મળતા,જીવથી પાવન કર્મો થાય
અતુટબંધન જીવનાછુટતાં,આજીવન પણ નિર્મળ થાય
અંતરથી મળેલ સાચી લાગણી,રાહ સાચી એ લઈ જાય
અસીમકૃપા જલાસાંઇની મળતા,ના અશાંન્તિય દેખાય
. ………………….લાગણી મળે જો મનથી જઈને.
મનથી થયેલ લાગણી સાચી,નિર્મળતાને આપી જાય
કળીયુગના છાયેલા વાદળને,પ્રેમથી દુર ભગાડીજાય
સાચી લાગણી ને સાચો સ્નેહ,જીવન આમહેંકાવી જાય
કુદરતનીલીલા અવનીએ,સમય સમયે બદલાઈ જાય
. ……………………લાગણી મળે જો મનથી જઈને.
===================================