January 21st 2014

લાગણીની પળ

.                  લાગણીની પળ                  

તાઃ૨૧/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી મળે જો મનથી જીવને,આજીવન ઉજ્વળ થાય
પ્રેમની સાંકળ સાચી મળતા,માનવ જીવન મહેંકી જાય
.              …………………લાગણી મળે જો મનથી જઈને.
સરળતાનો સહવાસ મળતા,જીવથી પાવન કર્મો થાય
અતુટબંધન જીવનાછુટતાં,આજીવન પણ નિર્મળ થાય
અંતરથી મળેલ સાચી લાગણી,રાહ સાચી એ લઈ જાય
અસીમકૃપા જલાસાંઇની મળતા,ના અશાંન્તિય દેખાય
.             ………………….લાગણી મળે જો મનથી જઈને.
મનથી થયેલ લાગણી સાચી,નિર્મળતાને આપી જાય
કળીયુગના છાયેલા વાદળને,પ્રેમથી દુર ભગાડીજાય
સાચી લાગણી ને સાચો સ્નેહ,જીવન આમહેંકાવી જાય
કુદરતનીલીલા અવનીએ,સમય સમયે બદલાઈ જાય
.         ……………………લાગણી મળે જો મનથી જઈને.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment