શ્રવણ
. શ્રવણ
તાઃ૨૭/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતાનને શીતળ કેડી દેતાં,માબાપને અનંત આનંદ થાય
ઉજ્વળજીવનનીરાહ લેતાં,સતયુગના શ્રવણથી ઓળખાય
. …………………..સંતાનને શીતળ કેડી દેતાં.
પ્રભાત પહોરે વંદન કરી,સુર્યદેવને અર્ચના પ્રેમથી થાય
માતાપિતાના પ્રેમની ચાદર,શીતળ જીવન આપી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,સાચી ભક્તિભાવે મળી જાય
કૃપા મળે જલાસાંઇની જીવને,જીવ મુક્તિ માર્ગે જ દોરાય
. ……………………સંતાનને શીતળ કેડી દેતાં.
ઉજ્વળ સેવા માબાપની કરે,એ જ દીકરો શ્રવણ કહેવાય
સુખ સાગરને પકડીચાલતા,માબાપને અનંત આનંદથાય
મળે આશીર્વાદનીકેડી જીવને,ત્યાં આધીવ્યાધી ભાગીજાય
રામનામના સ્મરણ માત્રથી,જીવથી પાવન કર્મ થઈ જાય
. ……………………સંતાનને શીતળ કેડી દેતાં.
=====================================