January 27th 2014

શ્રવણ

.                     શ્રવણ

તાઃ૨૭/૧/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનને શીતળ કેડી દેતાં,માબાપને અનંત આનંદ થાય
ઉજ્વળજીવનનીરાહ લેતાં,સતયુગના શ્રવણથી ઓળખાય
.                  …………………..સંતાનને શીતળ કેડી દેતાં.
પ્રભાત પહોરે વંદન કરી,સુર્યદેવને અર્ચના પ્રેમથી થાય
માતાપિતાના પ્રેમની ચાદર,શીતળ  જીવન આપી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,સાચી ભક્તિભાવે મળી જાય
કૃપા મળે જલાસાંઇની જીવને,જીવ મુક્તિ માર્ગે જ દોરાય
.                ……………………સંતાનને શીતળ કેડી દેતાં.
ઉજ્વળ સેવા માબાપની કરે,એ જ દીકરો   શ્રવણ કહેવાય
સુખ સાગરને પકડીચાલતા,માબાપને અનંત આનંદથાય
મળે આશીર્વાદનીકેડી જીવને,ત્યાં આધીવ્યાધી ભાગીજાય
રામનામના સ્મરણ માત્રથી,જીવથી પાવન કર્મ થઈ જાય
.                 ……………………સંતાનને શીતળ કેડી દેતાં.

=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment