April 8th 2017

દેહની પકડ

.        .દેહની પકડ   

તાઃ૮/૪/૨૦૧૪૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતીકાલ ના પકડાય કોઇથી,રાજા હોય કે ઘરનો રખેવાળ
અજબલીલા આજ અવિનાશીની,આજએ ગઈકાલ બની જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
માનવદેહ એજ જીવને સ્પર્શે,જે કર્મના બંધનને બતાવી જાય
જન્મની જકડ એ આગમન વિદાય,ના અવનીપરથીય છોડાય
સરળતાનો સહવાસમળે દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસે ભક્તિ થાય
પાવનરાહને પામી જીવતા,જીવપર જલાસાંઇનીકૃપા થઇ જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
પરમ ભક્તિથી એ જીવને મળે,જે વાણી વર્તનથીજ સમજાય
ભગવાની ના જરૂર દેહને,કે ના ઝોળીકે ડંડો કદીય પકડાય
દેખાવની દુનીયાનાઆંબે જીવ,એતો કળીયુગી કાતર કહેવાય
ના માનમળે કે સન્માનશોધાય,ત્યાં જીવનીજ્યોત પ્રગટી જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
===================================================