April 22nd 2017
. .રામદુત
તાઃ૨૨/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગ બલી છે હનુમાનજી,જગતમાં સદાય શનિવારે પુંજાય
નિર્મળ જીવનનો સંગ રાખતા,માતા અંજનીપુત્રથીય ઓળખાય
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
પવિત્રરાહ ભક્તિની રાખી જીવનમાં,ત્યાં પરમાત્માની કૃપા થઈ
રામ સ્વરૂપે આવ્યા પ્રભુ,જ્યાં રાજારાવણની મતી બગડી ગઈ
અજબ કૃપા મળી શ્રી ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાએજ ભક્તિ થઈ
મળી મોહની સાંકળ જીવનમાં,જ્યાં મા સીતાજીને જોયા તહીં
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
આવ્યા શ્રીરામ લક્ષ્મણ સંગે,જ્યાં પત્ની સીતાજીને ધરથી ઉઠાયા
રાવણની આ છે કળીયુગની રાહ,જે તેમની બુધ્ધીને બગાડી ગઈ
સીતાજીનુ હરણ થતાં અયોધ્યાથી,લંકામાં તકલીફનીવર્ષા પણ થઈ
અંતે હનુમાનજીની અજબ તાકાતે,શ્રી રાવણનું દહન થયુ છે ભઈ
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
=====================================================