April 11th 2017

ભક્તિનો સાગર

.....Image result for શ્રીરામ.....
.               .ભક્તિનો સાગર

તાઃ૧૧/૪/૨૦૧૭                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળજીવન ને નિર્મળભક્તિ,એ જીવનો જન્મ સફળ કરી જાય
પાવનકેડી મળે જીવનમાં દેહને,જે ભક્તિનો સાગર આપી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય
અવનીપર અવતાર પરમાત્માનો,એ શ્રીરામ અને શ્રીકૃષ્ણ કહેવાય
કર્મનાબંધન એજીવનેસ્પર્શે,જે જગતપર માનવીના વર્તનથી દેખાય
દેહમળે જીવને અવનીએ,જે જીવને જન્મ મળતાજ સમજાઇ જાય
ભક્તિનો સાગર મળ્યો શ્રીહનુમાનજીને,જે તેમના વર્તનથી સમજાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
ના કોઇ યુગની તાકાત જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિની વર્ષા થાય
મળે કૃપાએ શક્તિનો ભંડાર દેહને,જે જીવને અનુભવ આપી જાય
નિર્મળભક્તિની આંગળીચીંધી હનુમાનજીએ,જે તેમના વર્તને દેખાય
મળેલ માનવ દેહને સાર્થક કરવા,પરમાત્માના સ્વરૂપને વંદન થાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
=====================================================

April 11th 2017

બજરંગ બલી

..Image result for બજરંગ બલી..
.            .બજરંગ બલી 

તાઃ૧૧/૪/૨૦૧૭  (જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી આછે અવતાર,જેને બજરંગબલી કહેવાય
પરમાત્માના પવિત્ર સ્વરૂપ શ્રીરામને,પાવનરાહએ આપી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
શ્રીરામ સંગે માતા સીતાને વંદન કરી,ભક્તિરાહ આપી જાય
રાજારાવણ જેવા ભક્તનીકેડી બગડતા,પવનપુત્ર આવી જાય
સીતામાતાને નિમીત બનાવી,રાવણની જીંદગીને સ્પર્શી જાય
રામ ભાઈ લક્ષ્મણના દેહને બચાવ્યા,જ્યાં શ્રીરામ કહી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
ભક્તિમાં શક્તિ છે એવી,જે મળેલદેહના વર્તનથી જ દેખાય
મળે પ્રદીપરમાને કૃપા શ્રીરામની,જ્યાં હનુમાનજીનીકૃપા થાય
પવિત્ર જીવનએ રાહ બને,જ્યાં જન્મદીને અંજનીપુત્રને પુંજાય
માનવજીવન ઉજવળકરે કૃપાએ,જન્મમરણના બંધનછુટી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
=================================================
  બજરંગબલી શ્રી હનુમાનજીના જન્મદીન નિમીત્તે તેમના ચરણમાં
આ કાવ્ય પ્રદીપ,રમાના પરિવારના વંદન સહીત અર્પણ.
-------------------------------------------------