April 7th 2017
. .અનુભવની ગંગા
તાઃ૭/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે એ કૃપા નિરાળી,મળેલ દેહના સંબંધે સમજાઇ જાય
પ્રેમ નિખાલસ એ દેહનેજ સ્પર્શે,સમય આવતા જ પરખાઇ જાય
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય.
મળે માયાના બંધન સ્પર્શે જીવને,મળેલ દેહે અનેક રૂપે મેળવાય
સરળ જીવનનીરાહ મળે દેહને,જ્યાં પાવનરાહ મેળવી જીવી જાય
ભક્તિમાં અજબશક્તિ છે,જેઅંતરમાં અનુભવનીગંગા વહાવી જાય
જીવનો સંબંધ જગતના બંધન,જે કર્મનાબંધનથી જ મેળવાઇ જાય
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય.
પાવનરાહની કેડીને પામવા અવનીએ,ધર્મભક્તિ શ્રધ્ધા એજ કરાય
જીવના સંબધ છે કર્મનીકેડી,જે જીવને મળેલ દેહથીજ અનુભવાય
પ્રેમપારખીને જીવન જીવતા,દેહપર પવિત્ર અનુભવનીગંગા વહીજાય
મળી જાય પરમાત્માનો પ્રેમ દેહને,જે મળેલ જન્મ સફળ કરી જાય
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય.
=====================================================