April 6th 2017
. .પવનદેવ
તાઃ૬/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવનદેવ છે પરમ કૃપાળુ,જગતમાં અનેક જીવોને અનુભવ થાય
મળે કૃપા જ્યાં પવનદેવની,ત્યાં મળેલ દેહની સમજણ થઇ જાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
પરમાત્માની આ અજબ શક્તિ છે,જીવને અનેક રૂપે એ દેખાય
મનથી કરેલ ભક્તિ નિખાલસ,જીવનમાં પવિત્રરાહએ આપી જાય
માગણી કે અપેક્ષાને દુર રાખતા,મળેલ માનવજીવન મહેંકી જાય
શ્રધ્ધાભક્તિની રાહમળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
માનવદેહ મળે જ્યાં જીવને,ત્યાં કુદરતની કેડીની સમજણ લેવાય
સરળતાને પામવા અવનીએ,સુર્યદેવના દર્શનસંગે પવનદેવ પુંજાય
જીવને મળે માનવદેહ એપ્રભુકૃપા,જે પુણ્ય કર્મના સંબંધે સમજાય
જન્મમૃત્યુના બંધનને છોડવા કાજે,પવનપુત્ર હનુમાનજીનેય પુંજાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
=====================================================