April 17th 2017

માનવતાની મહેંક

.         .માનવતાની મહેંક

તાઃ૧૭/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કર્મ ધર્મને પકડી ચાલતો માનવી,સંબંધનો સંગાથ મેળવી જાય
પરમકૃપાળુ પરમાત્માને વંદનકરતા,માનવતાની મહેંકપ્રસરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
અવની એઆધાર છે જીવનો,જે જગતમાં દેહ મળતાજ દેખાય
ના હાને તરછોડતા જીવનમાં,સંત જલાસાંઈનો પ્રેમ મળી જાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,ને ધર્મએ પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધાનો સંગાથ સાચવતા,નિર્મળતા એ પરમાત્માની પુંજા થાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
માનવદેહ એસ્પર્શે છે જીવને,જે માનવીના વર્તનથી અનુભવાય
કરેલકર્મ એ જીવને છે જકડે,ના કોઇ જીવથી એનાથી છટકાય
પવિત્રરાહ એજ જીવને પ્રેરે,જે જગતમાં માનવતા મહેંકાઇ જાય
અંતરમાં આનંદનીવર્ષા થતા,મળેલ માનવ જન્મસફળ કરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
===================================================