April 20th 2017

જય જલાસાંઈ



.          .જય જલાસાંઈ    

તાઃ૨૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભાવની પવિત્ર કેડી,જીવનમાં પાવન કર્મ કરાવી જાય
શ્રધ્ધા ભાવના એ નિર્મળરાહ છે,જે જીવને શાંંતિ આપી જાય
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
જલારામની ભક્તિરાહે,જીવોને અન્નદાન દેતા નિર્મળભક્તિ થઈ
ના મોહમાયા જ્યાં જીવને સ્પર્શે,ત્યાં પ્રભુથી પરિક્ષા થઈ ગઈ
સંસ્કાર સાચવી સંગે રહેતા,વિરબાઈને પાવન રાહ મળી ગઈ
ભક્તિની ઉજ્વળ રાહે જીવતા,જગતમાં પવિત્ર કેડી બની ગઈ
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
માનવતાની મહેંક પ્રસરી શેરડીમાં,જે સંત સાંઈબાબાથી દેખઈ
શ્રધ્ધાસબુરી સમજાવી જીવોને,અલ્લાઈશ્વરની પુંજા અપાઈ ગઈ
નિર્મળ જીવન મળે દેહને અવનીએ,જે પાવન કર્મ કરાવી ગઈ
જલાસાંઇની શ્રધ્ધાએ ચીધી રાહ,જીવનેઉજ્વળ કેડી આપી ગઈ
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
===============================================