April 11th 2017

ભક્તિનો સાગર

.....Image result for શ્રીરામ.....
.               .ભક્તિનો સાગર

તાઃ૧૧/૪/૨૦૧૭                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળજીવન ને નિર્મળભક્તિ,એ જીવનો જન્મ સફળ કરી જાય
પાવનકેડી મળે જીવનમાં દેહને,જે ભક્તિનો સાગર આપી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય
અવનીપર અવતાર પરમાત્માનો,એ શ્રીરામ અને શ્રીકૃષ્ણ કહેવાય
કર્મનાબંધન એજીવનેસ્પર્શે,જે જગતપર માનવીના વર્તનથી દેખાય
દેહમળે જીવને અવનીએ,જે જીવને જન્મ મળતાજ સમજાઇ જાય
ભક્તિનો સાગર મળ્યો શ્રીહનુમાનજીને,જે તેમના વર્તનથી સમજાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
ના કોઇ યુગની તાકાત જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિની વર્ષા થાય
મળે કૃપાએ શક્તિનો ભંડાર દેહને,જે જીવને અનુભવ આપી જાય
નિર્મળભક્તિની આંગળીચીંધી હનુમાનજીએ,જે તેમના વર્તને દેખાય
મળેલ માનવ દેહને સાર્થક કરવા,પરમાત્માના સ્વરૂપને વંદન થાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
=====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment