February 10th 2021

મળી જાય

***Image result for વિષ્ણુજી લક્ષ્મીમાતા***

.            .મળી જાય   

તાઃ૧૦/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,મળેલ દેહને પવિત્ર કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમ મળે લક્ષ્મી માતાનો,જે નિખાલસ કર્મથીજ મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર જીવને આગમનથી દેહ મળે,પવિત્રરાહ કૃપાથી મેળવાય
સમય સમજીને ચાલતા દેહને,શ્રધ્ધાભાવથી પરમાત્માની પુંજા કરાય
વિષ્ણુ ભગવાનની સાથે તેમના પત્નિ,લક્ષ્મી માતાને ધુપદીપ કરાય
પવિત્ર શ્લોકનુ સ્મરણકરી પુંજા કરતા,માતાપિતાની કૃપા મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
પુંજનકરી વંદનકરી માળા કરતા,પરમાત્મા દેહને સદમાર્ગે દોરી જાય
નાઅપેક્ષા કોઇજ જીવનમાં રહે,એજ પરમકૃપા પરમાત્માની કહેવાય
મળી જાય પવિત્રકૃપા લક્ષ્મી માતાની,ના કોઇજ તકલીફ અડી જાય
પવિત્રકર્મ જીવનમાં કરીને જીવતા,પરમાત્મા જીવનેમુક્તિ આપી જાય 
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment