ભોળા ભંડારી
. ભોળા ભંડારી તાઃ૧૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ હર હર ભોલે મહાદેવથી ભજન કરતા,ભોલેનાથની કૃપા મળી જાય પવિત્રકૃપા શંકર ભગવાનની મળે,જગતમા અનેકનામથી ઓળખાય .....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય. ભોળા ભંડારી કહેવાય ભગવાનને,જે ભક્તોને અનેકકૃપાથી સમજાય ૐ નમઃ શિવાય સંગે દુધ અર્ચનાકરી,શિવલીંગને ધુપદીપથી પુંજાય પવિત્રદેહ પરમાત્મા એ લીધો,જે સંગે માતાપાર્વતીના પતિ કહેવાય અવનીપરના આગમનથી પાવનકર્મ થાય,જે ભક્તિમાર્ગ બતાવીજાય .....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય. હિંદુ ધર્મને ઉજવળ કરવા ભગવાનની કૃપા,જે અનેકદેહથી મેળવાય નિર્મળ ભાવથી ભક્તિ કરતા કૃપામળે,એ મળેલદેહને પવિત્રકરી જાય પરમાત્માના કુળને આગળ લઇજવા,દીકરા ગણેશ કાર્તિક જન્મી જાય સંગે અશોકસુંદરી એ દીકરી જન્મી જાય,જે ભોલેનાથના સંતાનકહેવાય .....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય. ************************************************************
,