February 25th 2021

સમયનો સ્પર્શ

##Virpurdham-વીરપુર ધામ - Posts | Facebook##

.         .સમયનો સ્પર્શ

તાઃ૨૫/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરના વાસી શ્રીજલારામે આંગળી ચીંધી,ના કોઇથી સમયને છોડાય
મળેલદેહથી સમય સમજીને ચાલતા,જીવપર પરમાત્માની કૃપા થઈ જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
પાવનકર્મ કરવા પ્રભુકૃપાએ,પત્નિવિરબાઇ જીવનમાં સંગાથ આપી જાય
મોહ અને માયાને દુર રાખતા જીવનમાં,પરમાત્માની પાવનરાહ મેળવાય
સમયની સાથેચાલતા કાકાની દુકાનમાથી,ભોજનની વસ્તુઓ આપી જાય
ખોટી નજર મળી પડોશીને,જે ઇર્ષાએ જલારામની ખોટી રાહ કહી જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
જીવનમાં નાકોઇથી સમયથી છટકાય,સમયસમજીને ચાલતા પ્રભુકૃપા થાય
ધર્મની પાવનરાહ પકડી જીવનમાં,નામંદીર,મસ્જીદ,ચર્ચને જીવનમાં શોધાય
પવિત્રશ્ર્ધ્ધાથી પત્નિએ સાથઆપ્યો,ત્યાં પ્રભુ ઝોળીઝંડો આપી ચાલી જાય
જગતમાં સંસારી ભક્ત થયા જલારામ,ના જીવનમાં દેખાવની રાહ મેળવાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
*************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment