પ્રભુ સ્મરણ
પ્રભુ સ્મરણ
તાઃ૧૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નારાયણ નારાયણ જપતાં,મનમાં શાન્તિ થાય
ભક્તિ સાચી મનથીકરતાં,જીવનની મુક્તિ થાય
……નારાયણ નારાયણ.
પાવક પ્રેમની જ્વાળા મળતાં,રામનુ રટણ થાય
અવધ વિહારી આંગણે આવે, ઘરમાં શાંન્તિ થાય
મળે સ્નેહનીધારા આ જન્મે,ને મહેંક જગે લહેરાય
લાવે જીવની મુક્તિ દેહથી,હરખતેનો ના કહેવાય
………નારાયણ નારાયણ.
કુંજવિહારીની લીલા ન્યારી,કૃષ્ણ સ્મરણમાં દેખાય
રાસે રમતા સંગતમળતા,જીવે જ્યોત મળી જાય
કરુણાની એક લહેર આવતા, જીવને શાંન્તિ થાય
મળતોસ્નેહ ને છુટતીમાયા,મુક્તિએ જીવ લહેરાય
……..નારાયણ નારાયણ.
રામ રટણ સદા રાખતાં હૈયે,પ્રભુ નારાયણ હરખાય
પાવકપ્રેમને ઉજ્વળ જીવન,પ્રભુ કૃપાએ મળી જાય
કૃષ્ણ સ્મરણમાં પ્રેમ છે એવો જ્યાં નિર્મળ પ્રીતથાય
મનઅને માનવ મળતાં,જગમાં ઉજ્વળ જીવન થાય
……નારાયણ નારાયણ.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()