છેલ્લો દિવસ
છેલ્લો દિવસ
તાઃ૨૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ તેની સાથે બંધાયેલ છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની આ અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.
છેલ્લો દીવસ ………….. ક્યાં નથી આવતો?
# લગ્ન થતાં દીકરીનો માબાપને ત્યાં દીકરી તરીકે નો છેલ્લો દીવસ આવે કારણ હવે તે પત્ની થઇ,પારકાની થાપણ થઇ.
# પ્રસુતીની પીડાનો છેલ્લો દીવસ એટલે બાળકનો જન્મ જે જન્મદાતાને માનુ સ્થાન મળે.
# શીશુવિહારમાંથી પાસ થતાં શીશુવિહારમાં છેલ્લો દીવસ.
# હાઇસ્કુલમાંથી પાસ થતાં હાઇસ્કુલમાં છેલ્લો દીવસ.
# શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય એટલે કે અવસાન થાય તો તે શરીરમાં જીવનો છેલ્લો દીવસ.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++