પાર્વતીપતિ નંદેશ્વર
પાર્વતીપતિ નંદેશ્વર
તાઃ૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નંદીની સવારીએ આવી રહ્યાછે ત્રિલોકીઅવીનાશી
શંખચક્રને ત્રિશુલધારી,ત્રિપુરારી છો જગત આધારી
ઓ ભોલેનાથ ઓ વિષધારી ઓ ભક્તોના ભગવાન
કરજો કરુણા અપરંપાર,આપના ચરણે અમારા જીવ
……. નંદીની સવારીએ આવી.
માયાના તો અનોખા બંધન,ના અળગા જગમાં રહે
પ્રેમ પામવા અંતરથી,ૐ નમઃશિવાયનુ સ્મરણકરુ
દ્વાર મુક્તિના ખુલશે ત્યારે,જ્યાં જીવ જગતથી જાશે
આવશે ત્રિશુલ ધારી ત્યારે, દ્વારે ભક્તને લેવા કાજે
……. નંદીની સવારીએ આવી.
માનો પ્રેમ મને સદામળે,જ્યાં ભક્તિ પ્રેમથી હું કરુ
આશીશ માની જ્યાં મળે,ત્યાં ગજાનંદની કૃપા મળે
સૃષ્ટિ નિયંતા જગતવિહારી,કરુણા મુજપર વરસીરહે
અંત જીવનનો સાર્થક સાથે,જીવને મુક્તિ મળી જશે
……. નંદીની સવારીએ આવી.
+++++++++++++++++++++++++++++++++