નિરાળી શક્તિ
નિરાળી શક્તિ
તાઃ૧/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની શક્તિ છે નિરાળી, જીવને શાંન્તિ દે
આધીવ્યાધી ભાગે દુર,જીવ સદા રહે ચકચુર
……..ભક્તિની શક્તિ છે.
માયામોહ તો ભાગે દુર,ના રહે જીવે કોઇ ભુખ
પરમાત્માનો પામીને પ્રેમ,રહે જીવન ઉજ્વળ
……..ભક્તિની શક્તિ છે.
કુદરતની કરુણા પામી,જ્યાં જીવે મહેર આવી
પ્રેમ જીવને પામીલેતા,ના કહેણ કોઇના રહેતા
……..ભક્તિની શક્તિ છે.
નાશવંત દેહની માયા, ભક્તિએ જ દુર ભાગે
રામનામની માળા જપતા,જીવે આનંદ આવે
……..ભક્તિની શક્તિ છે.
મળતી કાયાનીમાયા,જગમાં જીવે વળગીરહે
મુક્તિનાદ્વાર ખુલે,ભક્તિની એ નિરાળી શક્તિ
……..ભક્તિની શક્તિ છે.
પડતી માયાની દ્રષ્ટિ,ત્યાં કાયા નબળી લાગે
ભાગે માયા છોડી દેહને,જ્યાં ભક્તિ હાલે સામે
……..ભક્તિની શક્તિ છે.
===============================