વિચાર,વહેતી ગંગા
વિચાર,વહેતી ગંગા
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નીર ગંગા જમુનાના જગતમાં,અમૃત છે કહેવાય
સ્નેહદેતા પવિત્ર વિચારે,માનવજીવનછે મહેંકાય
……..નીર ગંગા જમુનાના.
માનવતાના દરેક સોપાને, પ્રેમ પ્રેમજ છે દેખાય
સ્નેહ સાગર ભરી રહે ,ને સદા શિતળતા સહેવાય
મનમંદીરના બારણેઆવી,પ્રેમ ખોબેખોબે લઇજાય
ઉમંગને ના ઓવારો આવે,કે સ્નેહ પણ ઓછોથાય
……..નીર ગંગા જમુનાના.
કુદરતની અજબલીલા, ના કૃપા કદી જોઇ શકાય
આવી મળી જાય માનવને,ના તેનાથી સમજાય
કરતા વિચાર ભક્તિ ભાવથી, સ્નેહ સદા લહેરાય
ગંગા જમુનાના નીરજાણે,વાણી વિચારે મળીજાય
……..નીર ગંગા જમુનાના.
પ્રભુકૃપાને પામવા કાજે,મંદીર મસ્જીદમાં સૌ જાય
સરળતાનો સહવાસ મળતા,પ્રભુ ઘરમાં આવીજાય
પ્રેમનીલહેર આવી જીવનને,અમૃત પ્રેમે આપીજાય
મળે માનવીને માનવતા,ત્યાં જીવ સદગતીએજાય
…….નીર ગંગા જમુનાના.
===================================