February 1st 2010

સમયની પકડ

                          સમયની પકડ

તાઃ૩૧/૧/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી એ સચવાય,કે ના કોઇથીય એ પકડાય
હોય નેતા,માનવી કે બળવાન,એ સૌને દેઅણસાર
                      ………….ના કોઇથી એ સચવાય.
સમય સમઝીને ચાલતાં,આવતી વ્યાધીથી બચાય
મળી જાય અણસાર દેહને,પણ ના કોઇથી છટકાય
હોય મોટા દેખાનાર ઉંચા, કે રસ્તે માગતાં એ ભીખ
સૌનેમાટે  સીધી એકરીત,બચવા રાખજો પ્રભુ પ્રીત
                         ……….ના કોઇથી એ સચવાય.
ઉંચી આંખે જ્યાં ચાલતા ને છાતી કાઢી બતાવે દેહ
પડે લપડાક જ્યાં કુદરતની,ત્યાં દેખાઇ જાય એ ફેક
ઉજ્વળ જીવન પામવાને,સત્યનીપકડી રાખવી દોરી
સમય સમયે સચવાઇજશે,નેમળશે પ્રભુકૃપાઅનોખી
                        ………..ના કોઇથી એ સચવાય.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment