સમયની પકડ
સમયની પકડ
તાઃ૩૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી એ સચવાય,કે ના કોઇથીય એ પકડાય
હોય નેતા,માનવી કે બળવાન,એ સૌને દેઅણસાર
………….ના કોઇથી એ સચવાય.
સમય સમઝીને ચાલતાં,આવતી વ્યાધીથી બચાય
મળી જાય અણસાર દેહને,પણ ના કોઇથી છટકાય
હોય મોટા દેખાનાર ઉંચા, કે રસ્તે માગતાં એ ભીખ
સૌનેમાટે સીધી એકરીત,બચવા રાખજો પ્રભુ પ્રીત
……….ના કોઇથી એ સચવાય.
ઉંચી આંખે જ્યાં ચાલતા ને છાતી કાઢી બતાવે દેહ
પડે લપડાક જ્યાં કુદરતની,ત્યાં દેખાઇ જાય એ ફેક
ઉજ્વળ જીવન પામવાને,સત્યનીપકડી રાખવી દોરી
સમય સમયે સચવાઇજશે,નેમળશે પ્રભુકૃપાઅનોખી
………..ના કોઇથી એ સચવાય.
===================================