February 2nd 2010

અભિષેક

                              અભિષેક

તાઃ૧/૨/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ ન્યારી,છે જીવન ઉજ્વળ કરનારી
સોમવારનો સુરજ ઉગતાં,પ્રભાતે પુષ્પ દુધથી થનારી
                              ………ભોલેનાથની ભક્તિ ન્યારી.
ભોલેનાથ તો જગતપિતા છે,જે મુક્તિ જીવને એ દેનારા
પ્રેમ ભાવથી પુંજન કરતાં,આ સફળ જન્મ પણ કરનારા
ધુપદીપ સંગે આરતીકરતાં,પળમાં જીવને શાંન્તિ દઇ દે
અભિષેક નાગેશ્વરનું કરતાં,મુક્તિના દરવાજાએ ખોલી દે
                              ……….ભોલેનાથની ભક્તિ ન્યારી.
માતા પાર્વતીની કૃપા મળે,જ્યાં ભોલેનાથની  પુંજા ફળે
ત્રિશુળધારી છે અતિદયાળુ,દેહના શત્રુઓનો એ નાશ કરે
દેહને જગમાં મુક્તિ મળે,જ્યાં ગંગાનું પવિત્ર અમૃત મળે
અભિષેકમાં આસ્થા રહેતા,જીવને જગનાફેરા ભક્તિએ ટળે
                            ………….ભોલેનાથની ભક્તિ ન્યારી.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment