February 4th 2010

ભક્તોના રખેવાળ

                    ભક્તોના રખેવાળ

તાઃ૩/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં જ્યાં લાગે રંગ,હૈયુ અનંત છે હરખાય
સાચા સંતના શરણે રહેતા,જીવન પાવન થાય
                       ……… ભક્તિમાં જ્યાં લાગે રંગ.
શ્રધ્ધા રાખીને સંતમાં,પ્રભુ કૃપાને મેળવી લેવાય
જીવની ઉજ્વળતા પામવા,સાચુ શરણુ છે શોધાય
માયાનાબંધન તો દેહને,નેજીવને ભક્તિએ બંધાય
કામદામના મોહને મુકતાં,છે પ્રભુભક્તોના રખેવાળ
                      …………ભક્તિમાં જ્યાં લાગે રંગ.
સંતની ભક્તિ સાચી,જ્યાં પવિત્રતા સંગ નિર્મળપ્રેમ
માળા તિલક ને ભગવું,એમાં ના મળે ભક્તિ ના વ્હેણ
સંસારની કેડી પર ચાલતા, ભક્તિનો લઇને સહવાસ
તનથીમહેનત સેવામનથી,છેપ્રભુ ભક્તોના રખેવાળ
                          ………ભક્તિમાં જ્યાં લાગે રંગ.

*****************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment