દયાની વર્ષા
દયાની વર્ષા
તાઃ૨૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોળાનાથની પાવન ભક્તિ,જે નિર્મળ હૈયે થાય
કૃપા પ્રભુની વરસે જ્યારે,જન્મ સફળ થઇ જાય
………..ભોળાનાથની પાવન ભક્તિ.
સોમવારની સવાર ટાળે,જ્યાં શ્રી નાગદેવ પુંજાય
દુધઅર્ચન કરતાંશિવલીંગે,ૐ નમઃશિવાય બોલાય
મળે ભોળાનાથની કૃપા,ને માના પ્રેમનીવર્ષા થાય
ઉજ્વળ જીવન જીવનુથાશે,જ્યાં દયાનીવર્ષા થાય
………..ભોળાનાથની પાવન ભક્તિ.
ગણપતિના પુંજનઅર્ચને,પાવન જીવને રાહ મળે
ગજાનંદની કૃપા વરસતાં,જન્મસફળ સ્પંદન મળે
કૃપાથતાં પ્રભુની જગમાં,જીવને મુક્તિના દ્વારમળે
ભક્તિમાં એ શક્તિ છે,જ્યાં દયાની વર્ષા પ્રભુ કરે
………..ભોળાનાથની પાવન ભક્તિ.
================================