જીવનો સહારો
જીવનો સહારો
તાઃ૨૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળા કુદરતની અતિ નિરાળી,જીવથી એ સમજાય
જન્મ મળતાં અવનીપર તેને,દેહથી પરખાઇ જાય
……….કળા કુદરતની અતિ નિરાળી.
માનવ જન્મ મળતાં જીવને,અનેક સોપાનો દેખાય
જન્મને સાર્થક કરવા તેને,માર્ગ ઘણાય મળી જાય
ભક્તિમાર્ગને પકડી લેતાં,તો જન્મ સફળ થઇ જાય
કળીયુગની ભક્તિને છોડતાં,મનથી જ એ મેળવાય
………..કળા કુદરતની અતિ નિરાળી.
દેહ મળે જ્યાં પ્રાણીનો,જીવને વ્યાધીઓ મળીજાય
ભુખતરસની ચિંતા એવી,નાબહાર તેનાથી અવાય
ડગલે પગલે શોધરાખતાં,ડગમગ જીવનને જીવાય
ચેતનતાનો સંગછુટે ત્યાં,કોઇ માળો પણ તોડીજાય
………..કળા કુદરતની અતિ નિરાળી.
ભક્તિનો એક સંગસાચો,જે માનવ દેહથી સમજાય
પળપળ પારખીચાલતાં,વ્યાધીઓ પણ અટકીજાય
મળીજાય સાચા સંતનો સંગ,તો પ્રભુકૃપા મેળવાય
જલાસાંઇની રાહ મેળવતાં,જીવને સહારો મળીજાય
………..કળા કુદરતની અતિ નિરાળી.
============================