June 22nd 2010

પાવન કર્મ

                      પાવન કર્મ

તાઃ૨૨/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણનાયકનુ શરણું વ્હાલુ,જન્મ આ સાર્થક થાય
મળેલ માનવજીવન આ,પાવનકર્મે મહેંકી જાય
                    ……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
ઉગમણી ઉષા ને નિરખી,ઘરમાં ધુપઅર્ચન થાય
જીવનીઝંઝટ ત્યાં ભાગેદુર,જ્યાં ઘીનો દીવોથાય
ભોલેનાથ ખુબ હરખાય,ને માપાર્વતી રાજી થાય
ભક્તિ વર્ષા મળતાં જીવને,આજન્મ સફળ દેખાય
                    ………ગણનાયકનુ શરણું વ્હાલુ.
રીધ્ધી સીધ્ધીના એદેવતા,ગણનાયક ઓળખાય
ગજાનંદના પ્રેમાળ સ્નેહે,ભક્તિ સાચી પણ થાય
મન વચનને વાણી વર્તન,એ ભક્તિએ બદલાય
પાવન કર્મ આજન્મે કરતાં,પ્રભુ કૃપા મળી જાય
                   ………..ગણનાયકનુ શરણું વ્હાલુ.
કલમ ક્ળીયુગથી ભાગેદુર,જ્યાં ભક્તિપ્રેમે થાય
ભાગ્ય વિધાતાના લેખથી,જન્મ સફળ થઇ જાય
મુક્તીઆવે જ્યાં બારણે,ત્યાંજન્મમરણ ટળીજાય
લેખ વીધીના અટકે,જ્યાં પાવન કર્મ થઇ જાય
                    ……….ગણનાયકનુ શરણું વ્હાલુ.

++++++++++++++++++++++++++++

June 22nd 2010

પ્રેમની ઓળખાણ

                    પ્રેમની ઓળખાણ

તાઃ૨૨/૬/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મળે ત્યાં મળે પ્રેમ,જે અંતરથી ઓળખાય
પ્રેમની સાચી કેડીને જોતાં,માનવમન મલકાય
                      ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
માયાના બંધન તો સૌને,ના કોઇથી એ છોડાય
રાજા,રંક કે પ્રાણીપશુ,જગે સૌને એસ્પર્શી જાય
ઉજ્વળજીવન આવે આંગણે,પ્રેમ જ્યાં પરખાય
મનનેશાંન્તિ ને ટળેવ્યાધી,એજ જીવન કહેવાય
                       ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
આવે અચાનક વણ માગ્યો,ઉભરો પ્રેમનો દેખાય
સમયને પારખી સમજી લેતાં,ના એ વળગીજાય
મળે મોહની સંગે માયા,જે સમયથી ના અજાણ
આજેઆવી કાલેભાગે,ત્યાંપ્રેમની ઓળખાણ થાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.
લાગણીના સુર અલગ છે,જે સમયને દઇદે તાલ
આવેઅચાનક જાયઅચાનક,એ ભયાનક કહેવાય
સરળ જીવનમાં ખાડોબનતાં,જીવન ડગમગ થાય
કુદરતનીએકલપડાકે,સાચાપ્રેમની ઓળખાણથાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.

   +++++++++++++++++++++++++