પાવન કર્મ
પાવન કર્મ
તાઃ૨૨/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણનાયકનુ શરણું વ્હાલુ,જન્મ આ સાર્થક થાય
મળેલ માનવજીવન આ,પાવનકર્મે મહેંકી જાય
……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
ઉગમણી ઉષા ને નિરખી,ઘરમાં ધુપઅર્ચન થાય
જીવનીઝંઝટ ત્યાં ભાગેદુર,જ્યાં ઘીનો દીવોથાય
ભોલેનાથ ખુબ હરખાય,ને માપાર્વતી રાજી થાય
ભક્તિ વર્ષા મળતાં જીવને,આજન્મ સફળ દેખાય
………ગણનાયકનુ શરણું વ્હાલુ.
રીધ્ધી સીધ્ધીના એદેવતા,ગણનાયક ઓળખાય
ગજાનંદના પ્રેમાળ સ્નેહે,ભક્તિ સાચી પણ થાય
મન વચનને વાણી વર્તન,એ ભક્તિએ બદલાય
પાવન કર્મ આજન્મે કરતાં,પ્રભુ કૃપા મળી જાય
………..ગણનાયકનુ શરણું વ્હાલુ.
કલમ ક્ળીયુગથી ભાગેદુર,જ્યાં ભક્તિપ્રેમે થાય
ભાગ્ય વિધાતાના લેખથી,જન્મ સફળ થઇ જાય
મુક્તીઆવે જ્યાં બારણે,ત્યાંજન્મમરણ ટળીજાય
લેખ વીધીના અટકે,જ્યાં પાવન કર્મ થઇ જાય
……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
++++++++++++++++++++++++++++