કળીયુગી બુધ્ધિ
કળીયુગી બુધ્ધિ
તાઃ૩૦/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભેદભાવની ચાદર લઇને,માનવી જ્યાંત્યાં ફરે જઇ
ભોળા મનના માનવી જોઇને,ગળે લટકાવી દે ભઇ
……….ભેદભાવની ચાદર લઇને.
કરુણાના સાગરમાં જીવતા,માનવતા લેતા અહીં
એકબીજાના હાથ પકડી,જીવતા પ્રભુ કૃપાને લઇ
માનવતાની મહેકજોતા,પરમાત્મા હરખાતા જોઇ
સહારાની શીતળ છાયાથી,માનવતા મહેંકાઇ ગઇ
………..ભેદભાવની ચાદર લઇને.
કળીયુગની કાતર ફરતાં,જગે માનવતા ચાલી ગઇ
ભેદભાવની ચાદર સાથે,ધર્મનો દુશ્મન આવ્યો ભઇ
હિન્દુઆ ને મુસ્લીમતુ બતાવી,ખ્રિસ્તી બન્યો હું અહીં
સમજણને અણસમજ બતાવી,દુશ્મન બનાવ્યા ભઇ
……….ભેદભાવની ચાદર લઇને.
માનવતાને નેવે મુકાવે,એકળીયુગની ભઇ ઘેરીરીત
દેખાવની દુનીયાની યારી,ના ભરવા દે ખોબે પાણી
ભક્તિભાવને પ્રેમે પકડી લેતાં,ભેદભાવ ભાગી જાય
મળી જાય માયા પ્રભુની,જીવને મુક્તિએ લઇ જાય
……….ભેદભાવની ચાદર લઇને.
******************************