સાચી ભક્તિ
. સાચી ભક્તિ
તાઃ૧/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ નમઃ શિવાયના જાપથી,જીવને શાંન્તિ મળી જાય
પાર્વતીપતિની એકજ કૃપાએ,આ જન્મસફળ થઈજાય
. ………..ૐ નમઃ શિવાયના જાપથી.
મોહમાયાથી મુક્તિ મળતાં,દેહથી પાવનકર્મ જ થાય
આધી વ્યાધી તો દુરજ ભાગે,નેમન શાંન્તિથી હરખાય
પળે પળે સહવાર પ્રભુનો,મળેલ જન્મ સફળ થઇ જાય
મળેલ દેહને પ્રેમ જગતમાં,ના કોઇથીય એને ખરીદાય
. ………….ૐ નમઃ શિવાયના જાપથી.
સદવિચારની કેડી નિરાળી,સાચી ભાવનાઓ સમજાય
કળી યુગની ના કાતરવાગે,જે મંત્રોથીજ સચવાઇ જાય
મહેંકે મધુર માનવજીવન,જ્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિ જીવને મળેદેહથી,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
. ………….ૐ નમઃ શિવાયના જાપથી.
*****************************************