ડગલાંની પકડ
. ડગલાંની પકડ
તાઃ૭/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડગલુ માંડતાં જે વિચારે,ના ક્યારેય એ પસ્તાય
સમજ જીવની એજ છેન્યારી,જે વર્તનથી દેખાય
. ………ડગલુ માંડતાં જે વિચારે.
સુખદુઃખનો સંગાથ છે સૌને,ના કોઇથી એ છોડાય
દેહમળતાં જીવને જગતપર,એ સાંકળથી પકડાય
છુટી શકે ના કોઇ દેહે,એને લોહીનો સંબંધ કહેવાય
દેખાવની પકડી કેડી,ત્યાં કુદરતના ડંડા પડી જાય
. ……….ડગલુ માંડતાં જે વિચારે.
ભક્તિદ્વાર ખુલે જીવનમાં,જ્યાં મનથી ભક્તિ થાય
નામાગવી પડે મુક્તિ જીવને,એ કર્મથી મળી જાય
વાણીવર્તન સાચવીલેતાં,જીવથીરાહ પકડાઇ જાય
અંત દેહનોઆવે નિર્મળ,જ્યાં ડગલે ડગલુ સમજાય
. …………ડગલુ માંડતાં જે વિચારે.
+++++++++++++++++++++++++++++++++++