August 14th 2011

પ્રભાત

.                     પ્રભાત

તાઃ૧૪/૮/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર વાંસળીનો સાંભળી સવારે,મન પ્રફુલ્લીત થાય
ઉજ્વળલાગે આજ પ્રભાત,જ્યાં સુર્ય નમસ્કાર થાય
.              ………….સુર વાંસળીનો સાંભળી સવારે.
ધર્મ કર્મની આ અજબકેડી,જે સારા સંસ્કારે મેળવાય
પ્રભુ ભક્તિનો માર્ગ છે નિર્મળ,કર્મબંધનથી સહવાય
જલાસાંઇની પ્રીત ન્યારી,જ્યાં માનવતા મળી જાય
માળાનામણકાને છોડતાં,મળેલ જન્મસફળ થઈજાય
.                  ………..સુર વાંસળીનો સાંભળી સવારે.
મૃત્યુ મળતાં દેહને જગતથી,સ્વર્ગ નર્કના દ્વાર દેખાય
સાચી ભક્તિ જીવથી થાય તો,પ્રભુકૃપાજ મળી જાય
સ્વર્ગનાદ્વાર ખુલી જાય જગે,ત્યાં જીવનો ઉધ્ધારથાય
જન્મમરણની મુક્તિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  …………સુર વાંસળીનો સાંભળી સવારે.

##################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment