કર્મની ગતી
. . કર્મની ગતી
તાઃ૨૮/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કર્મની કલમ હોય ન્યારી,ત્યાં માનવતાં મળીજાય
ઉજ્વળ જીવનની કેડી મેળવતાં,મોહ માયા ભાગી જાય
. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
પરમાત્માની પાવન કૃપાએ,સાચી ભક્તિએ મળી જાય
નિખાલસ પ્રેમની સાંકળ પકડતાં,જન્મ સફળ થઈ જાય
. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
નિરાધારનો આધાર બનતાંજ,મળી જાય સાચો સહવાસ
એક અરીસો માગણીનો ધરતાં,સહકારની વર્ષા મેળવાય
. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
આજકાલને સમજી ચાલતાં,આધીવ્યાધીઓ ભડકી જાય
સહજ ભાવના મનથી મળતાં,આંગણું પણ પાવન થાય
. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
એક શબ્દની કેડી છે નિરાળી,જ્યાં સદવચનો જ ઉભરાય
મારું તારું ને નેવે મુકતાં જીવને,સહજ સાથીઓ મેળવાય
. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,મળતા સુખદુઃખને સમજાય
નામાગણી કોઇ રહે દેહની,ને મળેલ જન્મસાર્થક પણથાય
. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
++++++++++++++++++++++++++++++++++