August 28th 2011

કર્મની ગતી

.                 . કર્મની ગતી

તાઃ૨૮/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મની કલમ હોય ન્યારી,ત્યાં માનવતાં મળીજાય
ઉજ્વળ જીવનની કેડી મેળવતાં,મોહ માયા ભાગી જાય
.                     ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
પરમાત્માની પાવન કૃપાએ,સાચી ભક્તિએ મળી જાય
નિખાલસ પ્રેમની સાંકળ પકડતાં,જન્મ સફળ થઈ જાય
.                     ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
નિરાધારનો આધાર બનતાંજ,મળી જાય સાચો સહવાસ
એક અરીસો માગણીનો ધરતાં,સહકારની વર્ષા મેળવાય
.                     ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
આજકાલને સમજી ચાલતાં,આધીવ્યાધીઓ ભડકી જાય
સહજ ભાવના મનથી મળતાં,આંગણું પણ પાવન થાય
.                      ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
એક શબ્દની કેડી છે નિરાળી,જ્યાં સદવચનો જ ઉભરાય
મારું તારું ને નેવે મુકતાં જીવને,સહજ સાથીઓ મેળવાય
.                       ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,મળતા સુખદુઃખને સમજાય
નામાગણી કોઇ રહે દેહની,ને મળેલ જન્મસાર્થક પણથાય
.                        ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.

++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment