જલારામ
. જલારામ
તાઃ૨/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવે કરેલી મનથી ભક્તિ,દેહ ને દઈ દે છે શક્તિ
જલારામની ભાવના નિરખી,પ્રભુએ ઝોળી લીધી
. ………….જીવે કરેલી મનથી ભક્તિ.
રામનામની માળાપકડી,જીવની ઝંઝટ ત્યાં છુટી
સંસારનીસાચી કેડી લેતાં,ત્યાં પ્રભુન કૃપા વરસી
સંતાનના સહવાસ સંગે,વિરબાઇએ ભક્તિ લીધી
પતિ પરમેશ્વર સમજતાં,ભગવાન ભાગ્યા ત્યાંથી
. ………..જીવે કરેલી મનથી ભક્તિ.
અન્ન્નદાનની રીત પારખી,જીવનમાં વણી લીધી
ભુખ્યાના ભગવાન કહેવાયા,ઝોળીને મુકી દીધી
આવી આંગણે હાથ પ્રસારી,માતાની સેવા માગી
ઉજ્વળ જન્મ કરી લીધોને,ભક્તિની રાહ બતાવી
. ………….જીવે કરેલી મનથી ભક્તિ.
++++++++++++++++++++++++++++++++++++