સદગુણ
. સદગુણ
તાઃ૧૧/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ છે દેહથી અવનીએ,ને દેહનો છે મોહમાયા
કાયાની કરામત અગણિત છે,જેને સદગુણોથી સચવાયા
. ………..જીવને સંબંધ છે દેહથી અવનીએ.
ક્યાંક ઉભરો આવે માયાનો,ત્યાં અતિપ્રે મપણ થઈ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવેલ ઉભરો અટકી જાય
જીવનના છે બે ચાર દીન,પરમાત્માની કૃપા એ સમજાય
પારખી લેતાં પળ પળ દેહે,જીવને સદગુણ સમજાઇ જાય
. ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
સવાર,બપોર ને સાંજ સમજાય,જ્યાં દોર સાચી મેળવાય
અવની પરના આગમનને પારખતાં,કર્મ બંધન સમજાય
મુક્તિ કેરી દોર મેળવવા જીવને,મળે છે ભક્તિનો રણકાર
સદગુણથી એ સમજાઇ જાય,ત્યાં ખુલી જાય મુક્તિનાદ્વાર
. ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
*********************************************