December 13th 2011

કામથી નામ

.                   કામથી નામ

તાઃ૨૯/૧૧/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે નામ જો સારા કરે કામ,જે જન્મ સફળ કરી જાય
શ્રધ્ધા પ્રેમની સાંકળ લેતાં,તમારૂ જીવન મહેંકી જાય
.                   ………………મળે નામ જો સારા કરે કામ.
જીવનમાં જ્યોત પ્રેમની પ્રગટે,ને શાંન્તિય મળી જાય
લાગણી મોહની માયા છુટતાં,નિર્મળરાહ પણમેળવાય
ઉજ્વળ જીવન દેહને મળતાં,સંસ્કાર પણ દેખાઇ જાય
જલાસાંઇની કૃપામળતાં,જીવને મળેલદેહ ઉજ્વળથાય
.                     ……………..મળે નામ જો સારા કરે કામ.
સકળ જગતના કરતારની, અમી દ્રષ્ટિ પણ  થઇ જાય
નિર્મળ જીવન જીવતાં દેહે,આધી વ્યાધીય ભાગી જાય
જલાસાંઇની ભક્તિ હતી નિરાળી,સંસારમાં રહીને થાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં સાચા સંતની રાહ લેવાય
.                    ……………..મળે નામ જો સારા કરે કામ.

++++++++++++++++++++++++++++++++++++++

December 13th 2011

શીવજીની ભક્તિ

 .                શીવજીની ભક્તિ

તાઃ૨૯/૧૧/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય
કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય
.                        ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય
મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય
ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય
ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય
.                        ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય
આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય
મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય સુખમેળવાય
ગજાનંદની કલમચાલતાં,દેહથીમુક્તિ પણ મળીજાય
.                       ……………ભોલેનાથની ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

December 13th 2011

પ્રભુ કૃપા

                           પ્રભુ કૃપા

તાઃ૧/૧૨/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે કૃપા પ્રભુની જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
જીવનેમળેલ શાંન્તિએ,આદેહનું કલ્યાણ પણ થઈ જાય
.                       ……………મળે કૃપા પ્રભુની જીવને.
સફળજીવનની જ્યાં રાહમળે,ત્યાં કર્મપણ પાવન થાય
આજકાલને આંબી લેતાં, જીવને મુક્તિમાર્ગ મળી જાય
નિર્મલ પ્રેમની ગંગા વહેતા,ના આધી વ્યાધી અથડાય
મળે કૃપા જ્યાં જલાસાંઇની,ત્યાં જન્મ સફળ થઈ જાય
.                        ……………મળે કૃપા પ્રભુની જીવને.
શાંન્તિશોધવા જીવભટકે જ્યાં,ત્યાં ના કદીયમેળવાય
દેખાવનીદુનીયા દુરકરતાં,સાચી ભક્તિરાહ મળીજાય
માગણી મોહને માયા મુકતાં,સ્વર્ગીય સુખ મળી જાય
કુદરતની આ ન્યાયી કૃપાએ,જીવનો જન્મ છુટી જાય
.                        …………….મળે કૃપા પ્રભુની જીવને.

===================================

December 6th 2011

શાંન્તિ આવી

                      શાંન્તિ આવી

તાઃ૧૫/૧૧/૨૦૧૧    (આણંદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહને પકડી લેતાં,પ્રેમ આવી ગયો અહીં
આધી વ્યાધી ભાગતાં અહીંથી,શાંન્તિજ મળીગઈ
.                   ……………..શીતળ સ્નેહને પકડી લેતાં.
કુદરતની આ કામંણલીલા,જીવનમાં ચાલતી અહીં
નિર્મળતાની સાંકળ મળતાં,જીંદગીપણ સુધરીગઈ
નામદામની કેડી છે વાંકી,અહીંથીજ  એ ભાગી ગઈ
રામનામની સાંકળને પકડતાં, સરળતા આવી ગઈ
                      …………….શીતળ સ્નેહને પકડી લેતાં.
લેખ લખેલા જીવના જગતમાં,કોઇનેય એ છોડે નહીં
સમજી વિચારી જીવન જીવતાં,મળશેજ શાંન્તિ ભઈ
સદગુણનો સહવાસ મેળવતા,સૌ રાજી થશે જ અહીં
જીવનની સાચી કેડીને લેતા,આ જન્મ સુધરશે ભઈ
                  ………………..શીતળ સ્નેહને પકડી લેતાં.

——————————————————————–

December 6th 2011

વ્હાલીનો જન્મદીવસ

                      વ્હાલીનો જન્મદીવસ

તાઃ૬/૧૨/૨૦૧૧      (આણંદ)         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલી અમારી રીમાનો ,આજે જન્મદીવસ ઉજવાય
ખુશીનો સાગર માથે લઈને,માતા હર્ષાબેન હરખાય
.                             …………….વ્હાલી અમારી રીમાનો.
મળતો પ્રેમ માબાપનો,જે  જીવનને ઉજ્વળ કરી જાય
ભાઇ પલ્લવની પ્રીત મળતાં,આંખો આંસુથી છલકાય
સમયની કેડી રીમાએ પકડી,પ્રેમ ભણતરથી થઈજાય
ઉજ્વળજીવન સોપાનજોતાં,માબાપને હૈયે આનંદથાય
.                                …………..વ્હાલી અમારી રીમાનો.
પિતા પ્રેમ  દીધો લલીતભાઇએ,સાચી રાહ  મળી જાય
જલાસાંઇની કૃપા નિરાળી,જે સૌના વર્તનથીજ દેખાય
પ્રદીપ.રમાને આનંદઅનેરો,મળ્યો જન્મદીનનો સંગાથ
દીપલ,રવિનો પ્રેમ મેળવી,ભાઇ બહેનના બંધને રંગાય
.                              …………..વ્હાલી અમારી રીમાનો.
કૃપા મળે પરમાત્માની જીવને,મળેલ જન્મ સાર્થક થાય
મોહની ચાદર દુર ભાગે,જ્યાં નિર્મળપ્રેમ પણ મળી જાય
તક મળી પ્રસંગની અમને,કરામત કુદરતનીજ સમજાય
પ્રાર્થના  કરીએ જલાસાંઇને,મુક્તિએ જન્મસફળ થઈજાય
.                            …………….વ્હાલી અમારી રીમાનો.

=========================================

.       ચી.રીમાના જન્મદીને પુ.જલાસાઈની કૃપાએ અમને વર્ષો પછી જન્મદીનની
ઉજવણીની તક મળી.આ યાદગાર અને પવિત્ર દીવસે સંત પુ.જલાસાંઇનેપ્રાર્થના
કે ચીં.રીમાની સર્વ મનોકામના પુર્ણ થાય અને જીવનમાં ઉજ્વળતાના  સોપાન
સરળ થાય તે ભાવનાથી આ લખાણ સપ્રેમ ભેંટ. 

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર ના જય જલારામ.

December 2nd 2011

અંધારૂ

.                      અંધારૂ

૭/૧૧/૨૦૧૧    (અમદાવાદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સહવાસ જીવનમાં,ઉજ્વળતા આપી જાય
મનને મળતી માયા દુર ફેંકતા,અંધકાર ભાગી જાય
.                      …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.
જીવનમા સોપાન નિરાળા,સાચી સમજણથી મેળવાય
પારખીલેતાં કામનીકેડી,જીવનમાં નિર્મળતા આપીજાય
કૃપા પ્રભુની મળતી જાય,જ્યાં નિખાલસતા આવી જાય
ઉજ્વળપ્રેમ અંતરથીમળતાં,જીવનમાંઅંધારૂ ભાગી જાય
.                        ……………શાંન્તિનો સહવાસ જીવનમાં.
પ્રગટે જીવનમાં દીપ પ્રેમનો,જ્યાં જલાસાંઇની કૃપાથાય
ઉજ્વળ કેડી પકડાતાં જીવનમાં, સુખ સાગર મળી જાય
ના મળે અંધકાર જીવનમાં,કે ના અંધારૂય ક્યાંય દેખાય
આશીર્વાદની ગંગા વહેતાં દેહે,જીવના પાવન કર્મ થાય
.                         …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.

======================================

December 2nd 2011

પસંદગી

.                         પસંદગી

તાઃ૭/૧૧/૨૦૧૧   (અમદાવાદ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જીવવા આદેહને,જીવનો સંગાથ મળી જાય
નિર્મળતાની સાંકળ મળતાં,આ જીવન મહેંકી જાય
.                      …………….જીવન જીવવા આદેહને.
કદીક થઈ જતાં કામમાં,જીવે કૃપા પ્રભુની થઈ જાય
માનવતાની મહેંક સંગે,પામર આજીવન મહેંકી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,ના આધીવ્યાધી અથડાય
આજકાલની ના કોઇ રામાયણ,જે જીવને પકડી જાય
.                      …………….જીવન જીવવા આદેહને.
રામનામની માળાજપતાં,સાચી પસંદગી જીવથીથાય
કુદરતની આઅતુટલીલા,જીવનો જન્મસફળ કરી જાય
મળતી માયા દેહને યુગમાં,અગ્નિ અપવિત્ર થઈ જાય
એકજ ચિંતન મનથી કરતાં,આજીવને સ્વર્ગ મળીજાય
.                     ……………..જીવન જીવવા આદેહને.

—————————————————–

December 1st 2011

શીતળ સહવાસ

               શીતળ સહવાસ

તાઃ૧/૧૨/૧૧       (આણંદ)         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક નિરાળી,સાચા સંબંધે જ સચવાય
આવી આંગણે પ્રેમ મળે.જે શીતળ સહવાસે મેળવાય
.                      ……………માનવતાની મહેંક નિરાળી.
ભુતકાળની આ સાંકળ ન્યારી,જ્યાં સંબંધ સચવાય
પ્રેમ નિખાલસ મળતાં જીવને,હૈયાય ઉભરાઇ જાય
દેખાવનો ના અણસાર મળે,ના મોહમાયાય દેખાય
શીતળતાના સહવાસને મેળવી,પ્રેમજપકડાઇ જાય
.                       …………..માનવતાની મહેંક નિરાળી
મળતી માનવતા જીવનમાં,જ્યાં નિર્મળ પ્રેમ થાય
નાસંબંધ કોઇ જાતનોરહે જ્યાં સાચી પ્રીત મેળવાય
આજકાલના ના તોરણ દેખાય,એતો આંખોમાં દેખાય
સફળતા મળતાં જીવનમાં,સર્વ કામ સફળ થઈજાય
.                     …………….માનવતાની મહેંક નિરાળી.

++++++++++++++++++++++++++++++++

« Previous Page