September 20th 2012

જોગી જલીયાણ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   .જોગી જલીયાણ

તાઃ૨૦/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમે વિરપુરના રહેવાસી,કરો છો ભક્તિ પ્રેમથી સાચી
મનમંદીરના દ્વાર ખોલવા,આવ્યા જગત અંતરયામી
.               ……………………તમે વિરપુરના રહેવાસી.
માળાહાથમાં શ્રધ્ધાએ લેતા,સાચવી જીવનમાં વાણી
વિરબાઇ માતાના સંગે જીવનની,ઉજ્વળ કેડી માણી
ભક્તિ ભાવને પારખી લેતાં,પ્રભુની પ્રીત પણ આણી
નિર્મળપ્રેમે પ્રભુને ભજતાં,જીવનમાં પ્રભુકૃપાનેપામી
.               …………………… તમે વિરપુરના રહેવાસી.
અન્નદાન એ કૃપા પ્રભુની,સાચી રાહ જીવનમાં જાણી
આંગણે  આવેલ પામર જીવને,ભક્તિની રાહ આપી
રામનામની માળા કરતાં,જીવનમાં શીતળતા આણી
જોળી ઝંડો છોડી ભાગતાં,પ્રીતે પ્રભુની પરિક્ષા પામી
.             ………………………તમે વિરપુરના રહેવાસી.

=====================================

September 19th 2012

ગણેશચોથ

 

 

.

.

.

.

.

.

.

.

.

.                          .ગણેશચોથ

તાઃ૧૯/૯/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદનુ નામ સાંભળી,મન મારું ખુબ હરખાય
ગણેશ ચોથનો દીવસ આવતાં,પ્રેમે પગે લગાય
.                …………………ગજાનંદનુ નામ સાંભળી.
રીધ્ધી સિધ્ધીના એ દાતા,છે જીવની જીવનદોર
ભોલેનાથના વ્હાલાસંતાન,ને જગતના વિધાતા
માતા પાર્વતીના છે લાડલા,જગતમાં એ પુંજાય
પવિત્ર દ્રષ્ટિ જીવે પડતાં,જન્મ સફળ થઈ જાય
.              …………………..ગજાનંદનુ નામ સાંભળી.
મુશક વાહન મેળવી લેતાં,જગે પ્રદક્ષીણા થાય
વંદનપ્રેમે ગણેશને કરતાં,મુક્તિમાર્ગ મળીજાય
સમયને પારખી ચાલતાજ,મોહ માયા છુટી જાય
પરમકૃપાળુની દયા થતા,સુખશાંન્તિ મળી જાય
.           ………………………ગજાનંદનુ નામ સાંભળી.

**************************************************

September 18th 2012

સંસ્કાર

                                           સંસ્કાર

તાઃ૧૮/૯/૨૦૧૨                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

            મમ્મી બહાર બારણે બાવો આવ્યો છે.એવું મને બારીએથી દેખાય છે. મારા સ્કુલ જવાના સમયે અહીં આવીને ભીખ કેમ માગતા હશે.મને કંઈ સમજ નથી પડતી.હે ભગવાન આ લોકો આ રીતે કેમ જીવતા હશે તે મને સમજાતું નથી. નીરૂબેન રસોડામાં ગેસ ચાલુ કરી દાળ અને શાક ધીમા તાપે બનતા મુકી ઘરના મંદીરમાં સંત જલારામ બાપા અને સંત સાંઈબાબાની માળા કરતા હતા.તેમનો દીકરો અનુજ સ્કુલમાં ભણવા જવાની તૈયારી કરતો હતો.તેર વર્ષના અનુજને તેની મમ્મીએ ઉત્તમ જીવન જીવવા માટે ભણતરનુ મહત્વ સંસ્કારમાં આપેલ.એટલે અનુજ વહેલો ઉઠી નાહી ધોઇ ભગવાનને પગે લાગી પાંચદસ મીનીટ પલાંઠીવાળી બંન્ને સંતોને વંદન કરી લેતો.એ જ્યારે મમ્મી ઉઠીને ચા માટે બોલાવે ત્યારે ઉપલા માળેથી આવ્યો મમ્મી કહીને નીચે આવી મમ્મીને પગે સ્પર્શી જય જલારામ મમ્મી કહે અને મમ્મી તેને બાથમાં જકડી બચી કરી લેતી આ તો દરરોજની વાત થઇ.ઘણી વખત તે લેશનમાં મશગુલ હોય ત્યારે મમ્મી ઉપર આવી કાન પકડી કહે ચલ બેટા ચાનાસ્તો નથી કરવાનો.
સમય તો કોઇ ના હાથમાં નથી.ખુદ રામ ભગવાનને પણ સમય આવતાં જંગલમાં જવું પડ્યુ હતું.પંદર વર્ષ પહેલા નીરૂબેનના લગ્ન વડોદરામાં રહેતા રાવજીભાઈના એકના એક દીકરા રાજેન્દ્ર સાથે થયા હતા.નીરૂબેનને એક મોટી બહેન હતા જે લગ્ન બાદ દીલ્હી રહેતા હતા.લગ્ન પછી નીરૂબેન વડોદરા રહેવા આવી ગયા.તેમના પતિ સરકારી કચેરીમા ક્લાર્કની નોકરી કરતા હતા.પગાર સારો હતો રજાઓ પણ સારી એવી મળતી હતી અને પાછી ખાધેપીધે શાંન્તિ હતી. પણ તેમને બહાર ફરવાનો શોખ પહેલેથી હતો અને રજા મળી કે ફરવા જતા રહે. નીરૂબેનને તેમના માબાપ તરફથી સંસ્કાર મળેલા એટલે સવારે ઉઠી સાસુ સસરાને પગે લાગી નાહી ધોઇ સેવા કરી રસોડામા જઇ રસોઇ તૈયાર કરી ઘરમાં કપડાલત્તા સફાઇ કરવી એ રોજીંદુ બની ગયુ હતું.સાસુ સસરાને કંઇજ કહેવુ ના પડે તે હંમેશાં ધ્યાનમાં રાખતા હતા.તેના પતિ હંમેશાં આઠ વાગે ઉઠે તેમની નોકરી દસ થી છ વાગ્યાની હતી એટલે મોડા ઉઠે.નીરૂબેન તેમના માબાપને ત્યાં અને અહીંયા પણ સવારે સાડા છ વાગે ઉઠી જતા અને સેવા તથા ઘરકામ કરતાં.સાસુ સસરાને પણ આ વહુ માટે માન થયુ કે સંસ્કારી દીકરી છે એટલે તેમના છોકરાને જીવનમાં કોઇ તકલીફ નહીં પડે.

                સાસરા પક્ષમાં  નજર કરીએ તો નીરૂબેનના સસરા એ સરકારી કચેરીમાં પટાવાળાનું કામ કરે.ઓફીસના બારણા આગળ બેસી રહેવાનુ અને સાહેબ બોલાવે એટલે અંદર જઇ જે કહે તે કામ કરવાનું. જ્યારે બપોરના ખાવા માટે સમય  મળે ત્યારે બહાર જઈ લારી આગળ ઉભા રહી ચા નાસ્તો કરવાનો અને પછી બીડી પીવાની.સરકારી નોકરી હતી એટલે તેમને  બધા સરકારી લાભ મળે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો દીકરો નટવર સરકારી સ્કુલમાં માસ્તરની નોકરી કરતો હતો અને તેની પત્ની સરીતા પણ સ્કુલમાં નોકરી કરતી હતી. બીજો દીકરો રાજેન્દ્ર સરકારી કચેરીમા ક્લાર્કનુ કામ કરતો હતો.ત્રીજો દીકરો નરેન્દ્ર ગામમાં એક અનાજની દુકાનમાં રજીસ્ટર પર કામ કરતો હતો. અને દીકરી નંદીની સ્કુલમાં ભણી અને લગ્ન બાદ તેના પતિ મનહરભાઇ સાથે નડીયાદમાં રહેતી હતી.

                રાજેન્દ્રભાઇની ઓફીસમાં કારદાકીય કામો થતા હોય એટલે મકાન,મિલ્કત,છુટાછેડા,લગ્ન રજીસ્ટર કે વિદેશ જવાના કાગળો તૈયાર કરી સાહેબ પાસે જઈ સહી કરાવી પરત આપવા આ તેમનું રોજનુ કામ.ઓફીસમાં બહારથી આવેલા માણસોનો દેખાવ,પૈસાનો ઉછાળો અને મોટી મોટી વાતો એ સાંભળી અને જોઇને ઘણી વખત મુંઝાય અને પરદેશ જવાનો વિચાર મનમાં થાય કરે.પણ  હવે છત્રીસ વર્ષે શુ કરવાનુ લગ્ન થઈ ગયે બે વર્ષ થઈ ગયા અને તેની પત્નિ નીરૂએ બાળકનો જન્મ આપ્યો અને એ પણ એક વર્ષનો થઈ ગયો.પણ જગતમાં માયા અને કાયાનો મોહ કળીયુગમાં કોઇને છોડતો નથી. માબાપે આપેલા સંસ્કાર એ જીવને સદમાર્ગે લઈ જાય નહીં તો પછી એવું પગલુ ભરાય કે ના અહીંના કે ના તહીંના રહેવાય.રાજેન્દ્રને પણ એવી માયા લાગેલ કે અહીંના કરતાં અમેરીકામાં જીવન જીવવાની મઝા આવે.પૈસે ટકે શાંન્તિ મોટર લઈ ફરવાનું અને એય હાયબાય કરીને  લ્હેર કરવાની.એક દીવસ અમેરીકાથી આવેલી ડોલી તેના કાયદાકીય કાગળો લઈને આવેલ.તેના લગ્ન થયેલા પણ તેનો અમેરીકન પતિ રોમી દારૂ સીગરેટ અને બીજી સ્ત્રીયોના સંબેધમાં હોવાથી રાત્રે ઘેર ના આવે.બહાર રખડ્યા કરે અને રાતની  જોબ એક મોટા અમેરીકન શાકભાજીના સ્ટોરમાં રજીસ્ટર પર કરે.ડોલીની સાથે લગ્ન થયે બાર વર્ષ થયેલ પણ પતિનો કોઇ જાતનો સાથ નહી.એક બાળક થયેલ પણ જીવનમાં કોઇ જાતની શાંન્તિ નહી. તે એક મૉટેલમાં ખાવા કરવા જતી અને જીવન જીવી રહી હતી.એક દીવસ તેના પતિ ઘરમાં તેના બાળકની સામે બહારથી લાવેલ સ્ત્રીની સોડમાં બેસી અને નખરા કરે જે સારુ ના કહેવાય તેથી ડોલીએ પોલીસને બોલાવી અને પેલી અડધા કપડા પહેરેલી સ્ત્રીને પોલીસને સોપી દીધી. આ પ્રસંગથી તેનો પતિ ખુબજ અકળાયો અને ત્રીજે દીવસે કોર્ટના કાગળ લઈને છુટાછેડાના સ્ટેમ પેપર પર સહી કરાવી અને જતો રહ્યો. ડૉલી બહુંજ દુખી થઈ એટલે એ જ્યાં નોકરી હતી  તેજ મૉટેલમાં માલીકને વાત કરી નિરાધાર બતાવી તેના છોકરા સાથે રહેવા જતી રહી. મોટલનો માલીક સુરેન્દ્રનગરનો હતો અને તેને તેના સાળાએ બોલાવેલ અને મૉટલ લઈ આપી હતી.તે પોતે જલારામ બાપા અને સાંઇબાબાનો ભક્ત હતો.એટલે કોઇ જીવને દુઃખી ના જુએ અને થાય તે રીતે મદદ કરે.એટલે એણે જ ડૉલીને મોટેલમાં રૂમ આપી બાબાને ચાઇલ્ડકેરમાં મુકી આવે અને લઈ આવે.

                   ડૉલી પણ અમેરીકન હોઇ લીપસ્ટીકલાલી અને પૅન્ટ પહેરતી એટલે બહુ ઉંમરનો ખ્યાલ ના આવે.એક બે વખત ઓફીસમાં આવી અને રાજેન્દ્ર પર નજર બગડી હતી એટલે એક દીવસ તે બહાર નાસ્તો કરવા લઈ ગઈ અને પછી પોતાની ઇચ્છા બતાવી કે તારે મારી સાથે લગ્ન રજીસ્ટર કરી અમેરીકા આવવુ છે. રાજેન્દ્રની મનની ઇચ્છા હતી અને સામેથી વિનંતી આવી એટલે એ ડૉલીને કહે હું તો હજુ કુવારો જ છું.મારે અમેરીકા જવુ છે એટલે હું રાહ જોઉ છું.તારી સાથે હું લગ્ન રજીસ્ટર કરી લઉ અને પછી હું તારી સાથે અમેરીકા આવી જઉ.કોઇ જાતનો મને વાંધો નથી.ડૉલી ઓફીસમાં કોઇને પુછે તે પહેલા તેણે બધાને જણાવેલ કે કોઇ કંઇ જ કહેશો નહીં.એણે કાયદાકીય કાગળો ગેર રીતીથી તૈયાર કરાવી લગ્ન કરી લીધુ.અને ડૉલી સાથે બહાર જવા ઘેર નીરૂને કહે હું મારી ઓફીસના કામ માટે અઠવાડીયુ બહાર જવાનો છુ.અને તે રીતે એ ડૉલીનો જીવન સાથી બની ગયો.અમેરીકા જવાનો સમય આવ્યો એટલે નીરૂ જોડે ઝગડો કરી તેને ગમેતેમ બોલી તને આ નથી આવડતુ અને તે નથી આવડતુ તેમ કહી ઝગડા શરૂ કર્યા. અને જવાના દીવસે કહે તારી સાથે રહેવામાં કાંઇ જ જીવનમાં મળવાનુ નથી.એટલે હું જતો રહું છું.તારે જેમ કરવું હોય તેમ કરજે. અને આ રીતે તે ડૉલી સાથે અમેરીકા જતો રહ્યો.

                  મારૂ તારૂ કરતાં જીવનમાં કોઇથી સમય રોકાતો નથી.અમેરીકા આવે આજે નવ વર્ષ થયા શરૂઆતમાં તો ડૉલી તેની બગલામાં ભરાઇ વ્હાલનો વરસાદ વરસાવતી. પણ તેના આ બીજા પતિને ખબર નહીં કે તે એવું તે શું કામ કરે છે કે દરરોજ રાત્રે એક બે વાગે આવે.રાજેન્દ્રની તાકાત પણ નહીં કે તેને પુછે કે કેમ મોડી આવે છે.રાજેન્દ્ર મૉટેલમાં સફાઇ અને રહેવા આવનારની જરૂરીયાત પુરી કરે અન અને  ડૉલીના બાળકનું ધ્યાન આપવાનું.આવુ ઘણા વર્ષ ચાલ્યું પણ આને ખબર ના પડે કે ડૉલી મોડી કેમ આવે છે.એક દીવસ તો જાતે તેની અજાણમાં તે તેની પાછળ ગયો અને જોયુ તો ડૉલી તો એક અમેરીકન મૉટલમાં ત્યાં રહેવા આવેલ ગ્રાહકોની સાથે પડી રહી તેમની મનોકામના પુર્ણ કરતી હતી.રાજેન્દ્રને ઘણુંજ દુઃખ થયું એને એમ થયુ કે તે માયાના મોહમાં ફસાઇ અહીં આવ્યો પણ તેનુ જીવન રોળાઇ ગયું.હવે કોઇ આરો નહીં.પણ એક દીવસ મક્કમ મને કોઇને કહ્યા વગર ભારત પાછો આવી ગયો.તેના માબાપ ગુજરી ગયા હતા બીજા કોઇને મળાય તેમ હતું નહી કારણ તે ખોટા રસ્તે જઈ તેની સંસ્કારી પત્ની નીરૂને છોડીને એ કહ્યા વગર જતો રાહ્યો. નીરૂને કાંઇ જ ખ્યાલ ન હતો એટલે એ સમાજ થી બચવા તેના બાળકને લઈને ડાકોરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં એ તેના બાળકને ભણાવતી અને એક ગુજરાતી હોટલમાં ખાવા કરતી હતી.શની રવિ તે મોડી જતી કારણ તે રાત્રે દસ વાગ્યા સુધી કામ કરતી હતી.અનુજ પણ હવે બધુ સમજી વિચારી કામ કરતો અને ભણતો.સમયની સીડી તો જીવને મૃત્યુ મળે ત્યાં સુધી સમજીને ચઢવી પડે.શની વારે સવારે નવ વાગ્યાના સમયે એક દાઢી વાળો માણસ તેના ઘર આગળ આવી હાથ ધરી ભીખ માગવા આવ્યો. અનુજે તેને ઉપલા માળની બારીએથી જોયો.તે બોલતો હતો તે તેની માતાએ સાંભળ્યુ તેણે પણ ઉપરેથી જોયુ અને મનમાં વિચારની સાથે નીચે આવી બારણા આગળથી તે ભીખ માગતો દાઢી વાળો ચહેરો જોતા જ તે વર્ષો પહેલાનો સહેવાસ ઓળખી ગઈ.તે બહાર નીકળી તે વખતે અનુજ પણ બોલ્યો મમ્મી આવાને શું કામ ખાવા આપે છે?તે બારણાના ઉંમરા આગળ ઉભો રહ્યો તેની મમ્મી બહાર જઈ ભીખ માગનારની નજીક જઈ કહે તમારે ભીખ માગવાની ના હોય તમે તો મારા પતિ છો એમ કહી પગે લાગી.રાજેન્દને તરતજ ખ્યાલ આવ્યો કે આ તો મારી પત્ની નીરૂ છે જેને હું છોડીને ચાલી ગયો હતો.તે પગે લાગી કહે આ તમારૂ ઘર છે તમારે ભીખ માગવાની ના હોય. રાજેન્દ્ર તેને બાઝી પડ્યો અને તેને પગે લાગવા નમ્યો ત્યાં નીરૂ કહે ના હોય અને ચલો તમે ઘરમાં.અનુજ વિચારતો જ રહ્યો કે આવુ કેમ?ત્યારે રાજેન્દ્ર કહે બેટા હું તારો પિતા છું અને તારી મમ્મીને છોડીને અમેરીકા નાસી ગયો હતો હવે હું પસ્તાઉ છું. તારી મમ્મીએ સંસ્કાર સાચવી તને જીવનની ઉજ્વળ કેડી બતાવી મને મારા મોહમાટે ખુબ જ દુઃખ થાય છે.તારી મમ્મીએ તને જીવન અને ભણતર આપી તને મા અને બાપનો પ્રેમ આપ્યો ધન્ય છે એના માબાપે આપેલ સંસ્કારને.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

September 17th 2012

જીભલડી

.                    જીભલડી

તાઃ૧૭/૯૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળતા દેહ અવનીએ,અનેકનો સંગાથ મળી જાય
સરળતાનો સહવાસ મળે,જ્યાં દેહની જીભલડી સચવાય
.                      ……………………જીવને મળતા દેહ અવનીએ.
માનવતાની મહેંક પ્રસરતાં,જીવનમાં મળી જાય સંગાથ
પ્રેમની જ્યોત પ્રકટે છે સહવાસે,જ્યાં પ્રેમીઓનો છે સાથ
સરળતાના વાદળ વરસતાં,જીવનમાં મળી જાય પ્રભાત
જીભલડીને સાચવીને ચલાવતાં,ના આધી વ્યાધી દેખાય
.                      …………………….જીવને મળતા દેહ અવનીએ.
શબ્દ એજ છે સંસ્કારદેહના,ને જીવનની મુડી પણકહેવાય
સમજીને આગલ ચલાવતાં,સૌ પ્રેમીઓનો સાથ મેળવાય
ઉજ્વળ જીવન મેળવી લેતાં,જીવનમાં શાંન્તિ મળી જાય
મળેલ સંસ્કાર માબાપથી સંતાનને,તેના વર્તનથી દેખાય
.                      ……………………..જીવને મળતા દેહ અવનીએ.

=========================================

September 17th 2012

પ્રીતીનો જન્મદીન

.                    .પ્રીતીનો જન્મદીન

તાઃ૧૭/૯/૨૦૧૨ (૧૭/૯/૧૯૭૪) પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતી પ્રીતી બોલતા પપ્પા સુરેશચંન્દ્ર હરખાય
.             મમ્મી ઇન્દીરાબેનની ગોદમાં બેસીને ખુશ થાય
એવી લાડલી પ્રીતીનો આજે જન્મદીન ઉજવાય
.                                    …………………..પ્રીતી પ્રીતી બોલતા.
જન્મ મળ્યો અમદાવાદમાં,ને કર્મ હ્યુસ્ટનમાં થાય
.            કુદરતની અદભુત  લીલાએ,ભોજનમાં મળી જાય
અલ્પેશકુમારના સાથથી, જીવનમાં રાહ મેળવાય
.           ઉજ્વળ જીવનનીકેડી મળતાં,સૌનો પ્રેમ મળીજાય
.                                        ………………..પ્રીતી પ્રીતી બોલતા.
મળી જીવનમાં ઉજ્વળ કેડી,એ સંતાનથીજ દેખાય
.          વ્હાલા સંતાન જય મોદી,ને પાર્થ મોદી ઓળખાય
પ્રેમ નિખાલસ સૌને દેતાં,ઉજ્વળ  રાહ મળી જાય
.           જન્મદીનની ઉજવણીઆજે,સૌનાસંગાથે મળીજાય
.                                   …………………… પ્રીતી પ્રીતી બોલતા.
પ્રદીપ રમાના આશીર્વાદ,અંતરથી જન્મદીને દેવાય
.          પ્રતીમાબેનનો  પ્રેમ પણ મળે,ને  હરેનભાઇ હરખાય
ઉજ્વળ જીવનની કેડી મળતા,જન્મ સફળ થઈ જાય
.         મારુતારુની માયાછુટતાં,હ્યુસ્ટન અમદાવાદ થઈજાય
.                                      ………………….પ્રીતી પ્રીતી બોલતા.
દીપલ દોડી ફુલ લઈને,ને નિશીતકુમાર લાવ્યા કૅક
.             આવ્યા ભોજનમાં સૌ સાથે,જન્મદીન માણવાને છેક
કુદરતની આ અપારલીલા,જે જગમાં જીવને દેખાય
.           ક્યાંથીક્યાં લઈ આવે,ને ક્યાં આજન્મદીવસ ઉજવાય
.                                      ………………….પ્રીતી પ્રીતી બોલતા.

*********************************************
+++++++++++++++++++++++++++++++++
.              .અ.સૌ.ચી.પ્રીતીનો આજે જન્મ દીવસ છે.પરમ કૃપાળુ સંત શ્રી જલારામ બાપા
તથા સંત પુજ્ય સાંઇબાબા તેની સર્વ મનોકામના પુર્ણ કરે અને જીવનમા તન,મન,ધનથી
શાંન્તિ આપે તેજ પાર્થના સહિત આશીર્વાદ.
લી.પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ તરફથી જય જલાસાંઇરામ.               તાઃ૧૭/૯/૨૦૧૨

September 16th 2012

અંતરની ઉર્મી

.                    .અંતરની ઉર્મી

તાઃ૧૬/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની ઉર્મીને પકડી,જગમાં જીવન જ્યાં જીવાય
મળીજાય ત્યાં કૃપાય પ્રભુની,ને સાર્થક જીવન થાય.
.                        …………………..અંતરની ઉર્મીને પકડી.
કુદરતની આરીત નિરાળી,માનવમનને ના સમજાય
સમજીને સાચા પ્રેમને દેતા,મેળવનાર જીવ હરખાય
અંતરમાં મળેલ શાંન્તિ,જીવ પર પ્રભુ કૃપા પણ થાય
અતિને મુકતા માળીયે જીવને,સુખ શાંન્તિ મળી જાય
.                       ……………………અંતરની ઉર્મીને પકડી.
મળતાં આશિર્વાદ જલાસાંઇના,દેહ પાવન થઈ જાય
મુક્તિ માર્ગને ખોલતા સંતની,પાવન કૃપા પણ થાય
આજકાલનો નામોહ જીવને,જ્યાં સમયનેય પરખાય
સુખશાંન્તિના વાદળવરસતા,જીવે શાંન્તિ મળી જાય
.                     …………………….અંતરની ઉર્મીને પકડી.

++++++++++++++++++++++++++++++++++++

September 14th 2012

શિવરાત્રિ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    .શિવરાત્રિ

તાઃ૧૪/૯/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલે મહાદેવનીજય,બોલો ભોલેનાથની જય
પરમ પિતા મા પાર્વતી પતિ,ભોલે શ્રી મહાદેવની જય
.                       ………………….બોલો જગતપિતાની જય.
ત્રિશુલ ધારી છે ગંગા ધારી,ભોલેનાથ  જગત આધારી
છે ભોલેનાથની ભક્તિ ન્યારી,દુધઅર્ચનાથીએ થનારી
માતાપાર્વતીની કૃપા ન્યારી,સાચી ભક્તિથી મળનારી
ૐ નમઃશિવાયના એક જાપથી,જીવને મુક્તિએદેનારી
.                     …………………..બોલો જગતપિતાની જય.
ભક્તિ પ્રેમે કરતાં શિવજીની,ગણેશજીનીકૃપા મળનારી
ગજાનંદના પિતા ભોલેભંડારી,માપાર્વતી જાય હરખાઇ
સદમાર્ગની દોરી દેનારા,જીવને સાચી રાહપણ દેનારા
લઇ અલૌકિક લીલા જગે,ભક્તિજીવને એ મોક્ષ દેનારી
.                  …………………….બોલો જગતપિતાની જય.

################################

September 14th 2012

સ્નેહાળ સાંકળ

.                   સ્નેહાળ સાંકળ

તાઃ૧૪/૯/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની સાંકળ વ્હાલી લાગે,જ્યાં અંતરથી મળી જાય
પ્રેમને પારખી જીવનજીવતાં,ના આફત કોઇ અથડાય
.               …………………..સ્નેહની સાંકળ વ્હાલી લાગે.
કળીયુગમાં મળતો સ્નેહ,કદીક એ દેખાવે મળી જાય
સમજણ મનને ના મળે,જ્યાં જીવ દેખાવમાં ભટકાય
સમયને માનવી પારખે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
આફતના એંધાણ મળતાં જીવે,કળીયુગમાં બચીજાય
.               …………………..સ્નેહની સાંકળ વ્હાલી લાગે.
અંતરથી મળતો સ્નેહ જીવને,સાચો સાથ આપી જાય
સ્નેહની સાંકળ ન્યારી મળતાં,દેહે પ્રેમ પ્રેમ થઈ જાય
માગણી ના મનની રહેજીવનમાં,જ્યાં નિર્મળતા થાય
આવી આંગણે પ્રેમ મળતાં,જીવને જન્મ સફળ દેખાય
.              ……………………સ્નેહની સાંકળ વ્હાલી લાગે.

=====================================

September 12th 2012

શબ્દનો સાથ

.                    શબ્દનો સાથ

તાઃ૧૨/૯/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં,કલમ પકડાઇ ગઈ
મળી ગઈ મનને મહેંફીલ,જે શાંન્તિ આપતી ગઈ
.            …………………શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
કલમ બને ત્યાં પ્રેમની સાંકળ,જ્યાં પ્રીત સાચી થઈ
મળી જાય છે મનને શાંન્તિ,અજબ કૃપા પ્રભુની થઈ
સાચોપ્રેમમળે સ્નેહીઓનો,જ્યાં હાથપકડી ચાલે સૌ
નામાગણીની કોઇ કેડી દેખાય,કે નારહે અપેક્ષા બહુ
.          …………………..શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
ઉજ્વલતાનીકેડી મળેજીવે,જ્યાં કલમધારી હરખાય
આંગળી પકડીને સંગે ચાલતાં,સાચી રાહ મળી જાય
બંધન પ્રેમના જીવને મળતાં,જન્મ સફળ પણ થાય
આજકાલની ન ચિંતા જીવને,સફળમાનવ થઈ જાય
.        …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
સ્નેહ પ્રેમનો સંગ મળતાં,જીવને આનંદ મળતો જાય
સંત જલાસાંઇની કૃપાએજીવને,સાચી રાહમળી જાય
આધીભાગે ને વ્યાધીઅટકે,એ જીવનીજ્યોતકહેવાય
કલમ શબ્દનો સંગ અનેરો,જે સમજે એજ માણી જાય
.        …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.

++++++++++++++++++++++++++++++++++++++++++

September 11th 2012

માડીની કૄપા

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       .માડીની કૃપા

તાઃ૧૧/૯/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમ કૃપાએ,હાથથી કલમ પકડાઇ ગઈ
એક બે લખતા લખતા,આજે લેખોની નદી ભરાઇ ગઈ
.                 ………………….માડી તારી અસીમ કૃપાએ.
કલમની પવિત્ર કેડી મળતાં,મારી ભક્તિય સાચી થઈ
મળતા માડી પ્રેમ તમારો,જીવને સાચી રાહ મળી ગઈ
સાચોસ્નેહ કલમધારીનો મળતાં,પ્રેમનીવર્ષા મળી ગઈ
એક બીજાની આંગળી પકડતાં,સૌની કલમ નોંખી થઈ
.                …………………..માડી તારી અસીમ કૃપાએ.
જ્યોત પ્રકટે  મા સરસ્વતીની,દેહને માન મળશે ભઈ
સાચી ભાવના મનમાં રહેતા,પ્રેરણા પણ મળશે અહીં
માગણી માતા ચરણે તારા,જન્મસફળ કરજે મા અહીં
પ્રેરણા  માડી કલમથી કરજે,યાદ જગતમાં રહે અહીં
.               ……………………માડી તારી અસીમ કૃપાએ.

**************************************************

« Previous PageNext Page »