January 27th 2014

સ્નેહ સાંકળ

.                    .સ્નેહ સાંકળ

તાઃ૨૭/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની સાંકળ શીતળતા વરસાવે,દુઃખને ભગાડી જાય
ઉજ્વળતાની રાહ લેવા,શ્રધ્ધાએ ભક્તિ સાંકળ પકડાય
.     …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
અવનીપરનુ આગમન જીવનુ,એતો દેહ થકી જ દેખાય
મળેલ દેહને પાવન કરવા,માબાપની કૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સમજીચાલતાં,અંધશ્રધ્ધા નાકદી અથડાય
પાવનકર્મની કેડીમળે જીવને,આશીર્વાદે ગંગા વહીજાય
.     …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
સ્નેહની સાંકળ કર્મનાબંધન,જીવ અવનીએ જકડાઇ જાય
જન્મમરણના બંધનમળતા,જીવનુ વિદાય આગમનથાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવ પર જલાસાંઇની કૃપાથાય
મોહમાયાની સાંકળ છુટતાં જ, આ જીવ પવિત્ર થઈ જાય
.        ………………….સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment