April 12th 2017

જગત જનની


.          .જગત જનની
તાઃ૧૨/૪/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબકૃપા મા જગત જનનીની,જીવને પાવનરાહએ આપી જાય
મળેલ નિખાલસ પ્રેમ જીવને,જ્યાં માડીની પવિત્રદ્ર્ષ્ટિ પડી જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
સવાર સાંજને સમજી ચાલતા,માનવ જીવનમાં સરળતા મળી જાય
કુદરતની આ અજબલીલા અવનીએ,અનુભવથી જ સમજાઈ જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિ એદેહને,પાવનરાહની કેડી આપી જાય
સફળતાનો સંગાથ મળે જવનમાં,નાઅપેક્ષા કેમાગણી સ્પર્શી જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
ભક્તિની તો શક્તિછે ઉત્તમ,જે જીવને દેહ મળતા જ અનુભવાય
માનવજીવનની મહેંકપ્રસરે જગતમાં,જ્યાં નિખાલસતા સ્પર્શી જાય
અનેક સ્વરૂપ માતાના છેઅવનીએ,શ્રધ્ધાએજ માતાનુ પુંજન થાય
આવી આંગણે કૃપા મળેજ જીવને,જે અનુભવથીજ મેળવાઈ જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
===================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment