April 18th 2017

કયો સંબંધ

Image result for જીવના સંબંધ
.          .કયો સંબંધ 
તાઃ૧૮/૪/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દીલનો હુ દરવાજો ખોલુ,ત્યાં તમારો અતુટ પ્રેમ લેવાય
નસીબની સાંકળ છે નિખાલસ,મને જીવવાને મળી જાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
લઘરવઘર આ જીંદગીને,અતુટ પ્રેમ વડીલનો મળી જાય
માગણી ના સ્પર્શે દેહને,એ અજબકૃપા જલારામની થાય
મનનેસ્પર્શે મોહ જીવનમાં,ત્યાં આફતનાવાદળ વર્ષી જાય
પરમપ્રેમની ગંગા વહેવડાવી,ત્યાં સાંઈબાબાની કૄપા થાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
માનવદેહ એજ જીવને,નિર્મળરાહે પાવન કર્મ કરાવી જાય
ભક્તિ માર્ગની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાને સંગ રખાય
ધર્મની કેડી એ આંગળી ચીંધે,જીવને પવિત્રરાહ આપી જાય
કર્મની પવિત્ર કેડીએ જીવના,જન્મમરણના બંધન છુટી જાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
=================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment