બુધ્ધદેવ
. .બુધ્ધદેવ તાઃ૧૯/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રેમની પાવનકેડીનો સહવાસ મળે,જે નિર્મળ જીવન આપી જાય મળે સુર્યપુત્ર બુધ્ધદેવની કૃપા,જ્યાં ૐ બુ બુધાય નમઃને સ્મરાય .......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય. અવનીપર આવી મળે પ્રભાત,સંગે અસ્તનેય સુર્યદેવથી મેળવાય અજબ શક્તિશાળી ને એજ કૃપાળુ દેવ છે,જે દર્શનથી સમજાય બુધ્ધદેવ એ પ્રેમાળ પુત્ર છે સુર્યદેવના,જે તેમની લાયકાતે દેખાય અવનીપરના અનેક જીવોને શ્રધ્ધાએ,પાવનજીવન એ આપી જાય .......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય. આગમન વિદાય જીવનો અવનીએ,એ તો કર્મનો સંબંધ કહેવાય નિર્મળ ભક્તિ એ સંબંધ જીવનો,જે પવિત્ર રાહે જીવતા મેળવાય માતાપિતાની કૃપા મળી બુધદેવને,જે તેમની ભક્તિએ મળી જાય ઉત્તમ જીવન બને માનવદેહનુ,જે બુધદેવની દ્રષ્ટિએ જ મેળવાય .......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય. ===================================================